મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ પહિંદ વિધિ સંપન્ન કરી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.

Rathyatra 2

મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

Share This Article