ઉત્તરાખંડમાં થયું હેલિકોપ્ટર ક્રેશમાં 6 લોકોના મોત, હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત

Rudra
By Rudra 3 Min Read

દેહરાદુન : રવિવારે વહેલી સવારે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક એક દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ શ્રદ્ધાળુઓ અને પાઇલટ સહિત સાત લોકોના મોત થયા હતા. હેલિકોપ્ટર સવારે ૫:૩૦ વાગ્યે કેદારનાથથી ગુપ્તકાશી જતા સમયે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું.

રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ઓછી દૃશ્યતા વચ્ચે ગૌરીકુંડના જંગલોની ઉપર આ દુર્ઘટના બની હતી. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રો અનુસાર, આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકોપ્ટર કેદારઘાટીમાં ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે ક્રેશ થયું હતું અને તેમાં આગ લાગી હતી.

આ પહેલા, ૮ મેના રોજ, ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ધામ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં છ લોકોના મોત થયા હતા.

૭ જૂનના રોજ, કેદારનાથ જઈ રહેલા હેલિકોપ્ટરને ટેકઓફ કર્યા પછી તરત જ ટેકનિકલ ખામીને કારણે રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું જેમાં પાઇલટ ઘાયલ થયો હતો પરંતુ તેમાં સવાર પાંચ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

ચાર ધામ યાત્રા રૂટ પર હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ અને અકસ્માતોમાં વધારો વચ્ચે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સલામત સંચાલનને નિયંત્રિત કરવા અને સુનિશ્ચિત કરવા માટે કડક નિર્દેશો જારી કર્યા.

કેદારનાથ નજીક થયેલા દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, ચાર ધામ ક્ષેત્રમાં હેલિકોપ્ટર કામગીરી પર આગામી સૂચના સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (ેંદ્ભછડ્ઢછ) દ્વારા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડ્ઢય્ઝ્રછ) સાથે સંકલનમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ ર્નિણય વધતી જતી ઘટનાઓ અને સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જે તાજેતરમાં થયેલા અકસ્માતમાં સાત લોકોના મોતને ભેટ્યો હતો. સલામતી પ્રોટોકોલની સંપૂર્ણ સમીક્ષા પૂર્ણ ન થાય અને વધુ નિર્દેશો જારી ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.

મુખ્યમંત્રીએ કડક ર્જીંઁજનો આદેશ આપ્યો

ઝ્રસ્ ધામીએ કહ્યું કે રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે એક કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (ર્જીંઁ) તૈયાર કરવી જોઈએ, જેમાં હેલિકોપ્ટરની તકનીકી સ્થિતિની સંપૂર્ણ તપાસ કરવી અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી લેવી ફરજિયાત બનાવવી જોઈએ.

મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે, જે હેલિકોપ્ટર કામગીરીના તમામ તકનીકી અને સલામતી પાસાઓની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી ર્જીંઁ તૈયાર કરશે. આ સમિતિ ખાતરી કરશે કે હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સલામત, પારદર્શક અને નિર્ધારિત ધોરણો અનુસાર છે. મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર અકસ્માતોની તપાસ માટે સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ સાથે, મુખ્યમંત્રીએ એવો પણ નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં ભૂતકાળમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ અગાઉના હેલિકોપ્ટર અકસ્માતો તેમજ આજના હેલિકોપ્ટર અકસ્માતના દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરશે અને તેનો અહેવાલ રજૂ કરશે. આ સમિતિ દરેક ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને દોષિત વ્યક્તિઓ અથવા સંસ્થાઓની ઓળખ કરશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓનું મહત્વ યાત્રાધામ, આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટી સેવાઓ માટે ખૂબ જ છે, તેથી આમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.

Share This Article