ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ભોપાલથી રાજધાની દિલ્હી આવી રહેલી વંદે ભારત ટ્રેન સાથે સોમવારે મોટો અકસ્માત થયો હતો. જ્યારે ટ્રેન કુરવાઈ કૈથોરા રેલવે સ્ટેશન પાસે હતી ત્યારે ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે ગભરાટ ફેલાયો હતો. ટ્રેનને રોકીને મુસાફરોને અધવચ્ચે જ રોકી દેવા પડ્યા હતા અને ત્યારબાદ આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભોપાલથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત ટ્રેન (૨૦૧૭૧) સોમવારે સવારે ૫.૪૦ કલાકે રવાના થઈ હતી. બીના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનના ઝ્ર-૧૪ કોચમાં આગ લાગી હતી, જેમાં લગભગ ૩૬ મુસાફરો હતા. જ્યારે આગ લાગી ત્યારે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા.

File 01 Page 01 02 1
File 01 Page 01 05 1

ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર વંદે ભારત એક્સપ્રેસના આ કોચમાં બેટરી બોક્સમાં આગ લાગી હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. કુરવાઈ કેથોરા સ્ટેશન પર આગ લાગી છે, ફાયર બ્રિગેડ અહીં પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં અડધો ડઝનથી વધુ વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને કેટલીક નવી વંદે ભારત ભેટ આપી હતી. વંદે ભારત ભારતીય રેલ્વે માટે એક નવો અનુભવ છે, અત્યાર સુધીમાં આ ટ્રેન દેશના લગભગ બે ડઝન રૂટ પર શરૂ થઈ છે. વંદે ભારત ટ્રેન સાથે ઘણી જગ્યાએ અકસ્માતો નોંધાયા છે, શરૂઆતમાં જ્યાં અકસ્માતના સમાચાર આવતા હતા, હજુ પણ કેટલીક જગ્યાએ પથ્થરમારાની જાણ થઈ રહી છે. આ દરમિયાન ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટના પણ ચોંકાવનારી છે.

Share This Article