આવનારા સમયમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવ ઓછા થશે : નીતિન ગડકરી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્હાન આપવા પર કામ કરી રહ્યાં છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણમાં ઘટાડો આવવાની સાથે તેલની મોંઘી કિંમતથી પણ રાહત મળી શકે છે.

વર્તમાનમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ કે ડીઝલના વાહનોની તુલનામાં વધારે છે.  તેના પર કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે આવનારા સમયમાં ઈવીના ભાવ પેટ્રોલ કારોથી ઓછા હશે.

તેમણે તે પણ કહ્યુ કે, જાે અમેરિકી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા ભારતમાં પોતાનું ઇલેક્ટ્રિક વાહન બનાવે છે તો તેનાથી કંપનીને ફાયદો થશે.  કેન્દ્રીય મંત્રીએ સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, તે દિવસ દૂર નથી જ્યારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત, પેટ્રોલ વાહનોની કિંમતથી ઓછી હશે.

તેમણે કહ્યું- ટેસ્લા જાે ભારતમાં ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કરશે તો તેને પણ ફાયદો થશે. મહત્વનું છે કે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે હાલમાં ટિ્‌વટરને ખરીદવાની ડીલ કરી છે.  ગડકરીએ આ પહેલા ૨૬ એપ્રિલે કહ્યુ હતુ કે જાે ટેસ્લા ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે તો કોઈ સમસ્યા નથી.

પરંતુ કંપનીએ ચીનથી કારોને આયાત ન કરવી જાેઈએ. તેમણે રાયસીના ડાયલોગમાં કહ્યુ હતુ- જાે એલન મસ્ક ભારતમાં નિર્માણ કરવા માટે તૈયાર છે, તો કોઈ સમસ્યા નથી. ભારત આવો અને નિર્માણ શરૂ કરો. ભારત એક મોટુ બજાર છે, તે ભારતથી નિર્યાત કરી શકે છે.

પાછલા વર્ષે ભારે ઉદ્યોગ મંત્રાલયે ટેસ્લાને કહ્યું હતું કે સરકાર દ્વારા કોઈ ટેક્સ છૂટ પર વિચાર કરતા પહેલાં જરૂરી છે કે કંપની ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનોનું પ્રોડક્શન શરૂ કરે.

Share This Article