કર્ણાટક કટોકટી : બળવાખોરો સંદર્ભે નિર્ણય સ્પીકર પર રહેશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : કર્ણાટકમાં રાજકીય કટોકકટી વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના બેલેન્સ ચુકાદાના કારણે સસ્પેન્સની સ્થિતી વધારે ગંભીર બની ગઇ છે. સુપ્રીમના ચુકાદાથી રાજ્યમાં કટોકટીને લઇને નવા વળાંક આવી શકે છે. સુપ્રીમ કોર્ટે એકબાજુ ૧૫ બળવાખોર ધારાસભ્યના રાજીનામા અંગે નિર્ણયનો અધિકાર સ્પીકર કેઆર રમેશ પર છોડી દીધો છે. જો કે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ છે કે બળવાખોર ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે સરકાર ફરજ પડી શકે નહીં. આ આદેશ જારી કરીને સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને મોટો ફટકો આપી દીધો છે.

આ નિર્ણય બાદ હવે બંને પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. હવે તમામની નજર આવતીકાલે ગુરૂવારના દિવસે થનાર કુમારસ્વામીના શક્તિ પ્રદર્શન પર કેન્દ્રિત થઇ ગઇ છે. મુખ્યપ્રધાન કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર આવતીકાલે વિશ્વાસ મત લેનાર છે. સત્તા કુમારસ્વામી બચાવી શકશે કે કેમ તે અંગે હવે આવી જશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ દિપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની બેંચે ચુકાદો આપતા કહ્યુ છે કે ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય સ્પીકર દ્વારા કરવામાં આવનાર છે. કોર્ટે કહ્યુ હતુ કે સ્પીકર નિયમો મુજબ નિર્ણય કરવામાં આવનાર છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે અમને આ જટિલ મામલામાં બંધારણીય બેલેન્સ રાખવાની જરૂર છે. સ્પીકર પોતે નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે. કોર્ટે કહ્યુ હતુ કે સ્પીકર નિયમો મુજબ યોગ્ય નિર્ણય કરે તે જરૂરી છે. કર્ણાટક સરકારને મોટો ફટકો આપીને ૧૫ ધારાસભ્યોએ હાલમાં રાજીનામુ આપીદીધુ હતુ. જેથી કુમારસ્વામી સરકાર પતનના કિનારે પહોંચી ગઇ છે. સરકાર બચી જશે કે ટકી જશે તે અંગે હવે આવતીકાલે જાણી શકશે.

Share This Article