સતત નીચે જઇ રહેલા ભુ-જળ સ્તરના કારણે દેશમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે. પીવાના પાણીની વિકટ સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ઘેરી બની રહી છે. આવી સ્થિતીમાં જળ સંરક્ષણની જવાબદારી હવે તમામ વ્યક્તિની બની રહી છે. વરસાદના જળને સગ્રહ કરીને પરંપરાગત ઉપાય કરી શકાય છે. આ પ્રકારના ઉપાયમાં જન જનના વિશ્વાસને વધારી દેવામાં આવે તે જરૂરી છે. વર્ષાના જળને સંગ્રહ કરવાની તકલીફના કારણે આસ્થિતી વધારે ભયાનક બનવા જઇ રહી છે. હાલમાં દેશમાં મોનસુનની સ્થિતી પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં માત્ર સરકાર જ નહીં બલ્કે સામાન્ય લોકોના સ્તર પર પણ પાણીના જતન માટે પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. વર્ષાના જળને બચાવવા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
હાલમાં જુદા જુદા રાજ્યોમાં આ મામલે ધ્યાન આપવામાં આવ્યુ હતુ. એક અગ્રણી અખબાર દ્વારા આ સંબંધમાં સર્વેની કામગીરી પણ હાથ ધરી હતી. જેમાં સપાટી પર આવ્યુ કે દેશના જુદા જુદા રાજ્યોમાં ૩૮૧૮ લોકો પર સર્વેની કામગીરી દરમિયાન પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સર્વેમાં જાણવા મળ્યુ કે ૬૭.૯૯ ટકા લોકોએ અભિપ્રાય આપ્યો હતો કે માત્ર સરકારી ઇમારતોમાં જ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાની બાબત પુરતી નથી. અન્ય પગલા લેવાની પણ જરૂર દેખાઇ રહી છે. સામાન્ય લોકોને પણ આ દિશામાં આગળ આવવાની જરૂર છે. કારણ કે પાણી બચાવવા માટેની અમારી તમામની નૈતિક જવાબદારી રહેલી છે.
૭૬.૯૫ ટકા લોકો રેન વોટર હાર્વેસ્ટિંગની ટેકનિકથી પરિચિત છે. પરંતુ માત્ર ૨૦.૩૦ ટકા લોકોના આવાસમાં જ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગેલી છે. ૬૦.૨૭ ટકા લોકો જળ સંરક્ષણ માટે આજે પણ પરંપરાગત તરીકાથી આગળ વધે છે. એટલે કે ટંકી અને અન્ય પાણીના સંગ્રહને આધુનિક સાધન કરતા વધારે યોગ્ય માને છે. વિતેલા વર્ષોમાં ટાંકી અને નાની નાની બાવડીઓ બનાવવામાં આવતી હતી. સર્વેમાં જાણવા મળ્યુ કે જળ સંરક્ષણના વિષયને સ્કુલી પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવે તે પણ જરૂરી છે. આના કારણે સ્કીલી બાળકોને પણ આ અંગે માહિતી મળશે. બાળકો નાની વયમાં જ પાણીના મહત્વને સમજી શકે તે દિશામાં પહેલ કરવામાં આવે તે જરૂરી છે. ૧૧.૩૪ ટકા લોકો એવા પણ છે જે ડાર્ક ઝોનમાં કોઇને પણ મંજુરી વગર ટ્યુબવેલને લઇને વાંધો ઉઠાવે છે. હાલમા ંજ કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે તકે જળ સંરક્ષણ માટે પરંપરાગત ઉપાય આજે પણ આધુનિક ઉપાય કરતા વધારે અસરકારક છે. જેમાં પાણીનુ જતન વધારે છે. પાણીની સમસ્યા આજે દેશના મોટા ભાગના વિસ્તારોમાં કેન્દ્રિત થઇ ગઇ છે.
સરકારના સ્તર પર તમામ પ્રયાસો થઇ રહ્યા હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવવાના બદલે સમસ્યા દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. જો પાણીના જતન તરફ હવે ટોપ લેવલ અને સામાન્ય લોકોના સ્તર પર કોઇ પગલા લેવામાં નહીં આવે તો વધારે ગંભીર પરિણામ આવશે. લોકોને પીવાના પાણી માટે ભારે જહેમત ઉઠાવવી પડશે. રાજસ્થાન સહિત દેશના કેટલાક ભાગોમાં તો પાણીની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ગંભીર છે. મોદી સરકાર પ્રચંડ બહુમતિ સાથે ફરી સત્તામાં આવ્યા બાદ પાણીને લઇને ગંભીર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પાણીના જતનના મુદ્દા પર અનેક વખત વાત કરી ચુક્યા છે. હાલમાં જ મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ મનની બાતમાં પણ પાણીના વિષય પર ચર્ચા કરી હતી. સાથે સાથે આ સંબંધમાં સરકારની પ્રાથમિકતા રજૂ કરી હતી. પાણી માટે એક અલગ મંત્રાલયની રચના પણ કરવામાં આવી ચુકી છે. જદે પાણીના જતન અને પાણી માટે કેવા અને કઇ રીતે વધારે પગલા લઇ શકાય છે તે વિષય પર સંબંધિતો સાથે સતત વાત કરી રહ્યા છે. મોનસુનની સિઝન ચાલી રહી છે ત્યારે તમામ સામાન્ય લોકો પણ આને લઇને ગંભીર બને તે જરૂરી છે. હાલમાં આસામ અને બિહાર જેવા કેટલાક રાજ્યોમાં વધારે વરસાદ થઇ રહ્યો છે. પુરની સ્થિતી પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં પાણીના જતન માટે વધારે પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. પાણીને ખુબ કિંમતી તરીકે ગણવાની જરૂર છે.