અલ્પેશનો રાજીનામા પત્ર અક્ષરશઃ……….

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : અલ્પેશ ઠાકોરે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ઉદ્દેશીને આપેલા રાજીનામા પત્રમાં લખેલી વાતો અક્ષરશઃ કંઇક આ પ્રમાણે છે. મારું જીવન સમાજસેવા સાથે જાડાયેલું છે. હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જાડાયેલો હતો. ગરીબો પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જાયા છે. જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે. સમગ્ર ગુજરાતના મારા સેનાનાં ગરીબ યુવાનોની અવગણનાં અને અપમાનથી યુવાનોમાં ખુબ જ દુઃખ અને આક્રોશ છે. મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે.

મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીનાં ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાઇ હોત માટે જ આ નિર્ણય કરવો અમારા માટે ખુબ જ દુઃખદાયક છે. મારી સેનાનો આદેશ છે જયાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ના રહેવું જાઇએ જેથી હું કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજનામું આપુ છું, આવી પરિÂસ્થતિનું નિર્માણ થશે તે મેં કયારેય કલ્પના પણ નહોતી કરી ભારે દુઃખ અને વિશ્વાસઘાતના એહસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છે. જેને સહજ સ્વીકાર કરશો. છેલ્લે લખ્યુ છે કે, કોઇ એક બાબતની ઉણપ રહી સન્માન..સન્માન અને સન્માન..જેનું ભારોભાર દુઃખ છે. કોઇ એક બાબત હંમેશા મળી વિશ્વાસઘાત..વિશ્વાસઘાત..વિશ્વાસઘાત.. લિ.અલ્પેશ ઠાકોર

 

Share This Article