ઇન્કમટેક્સની કાર્યવાહી….

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવીદિલ્હી-ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રાતુલ પુરી, અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કર, સલાહકાર રહી ચુકેલા રાજેન્દ્રકુમાર અને ભાપોલના પ્રતિક જોશી તેમજ અશ્વિન શર્માના આવાસ ઉપર આવકવેરા વિભાગે આજે વહેલી પરોઢે વ્યાપક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. દરોડાની કાર્યવાહીમાં જે લોકો પર દરોડા પડ્યા છે તે લોકોની વિગત નીચે મુજબ છે.

પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કડ

પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કડ મુખ્યમંત્રી કમલનાથના નજીકના સાથી છે જ્યારે તેઓ પોલીસ અધિકારી હતા ત્યારે તેમની સામે અનેક મામલા સપાટી ઉપર આવ્યા હતા. કમલનાથ ઉપરાંત દિÂગ્વજય અને કાંતિલાલ ભુરિયાના પણ તેમની સાથે સંબંધ  છે. આવકવેરાની ટીમ મોડી રાત્રે પહોંચી ત્યારે કક્કડના પરિવારના લોકો દહેશતમાં આવી ગયા હતા. પ્રવિણ કક્કડ પૂર્વ પોલીસ અધિકારી છે. ૨૦૦૪માં નોકરી છોડીને કોંગ્રેસના નેતા કાંતિલાલના ઓએસડી બન્યા હતા. ૨૦૧૮માં કમલનાથના ઓએસડી બન્યા હતા. નોકરીના ગાળામાં તેમની સામે અનેક કેસ બની ચુક્યા છે.

રાજેન્દ્ર મિગલાની

રાજેન્દ્ર મિગલાનીના કમલનાથ સાથે ૩૦ વર્ષ જુના સંબંધ છે. સલાહકાર તરીકે રહી ચુકેલા મિગલાની કમલનાથ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે સલાહકાર બન્યા હતા. મુખ્યમંત્રીને કોણ કોણ ક્યારે મળશે તે અંગેનું કામ મિગલાની જ કરતા હતા. આવકવેરા વિભાગની ટીમે મિગલાનીના દિલ્હીમાં ગ્રીન પાર્ક કોલોની સ્થિત આવાસ પર કાર્યવાહી કરી છે.

પ્રતિક જોશી-અશ્વિન શર્મા

પ્રતિક જોશી અને અશ્વિન શર્મા ભોપાલના આર્મ ડિલર તરીકે છે. બંને પારસ્પરિકરીતે સંબંધી છે. આવકવેરા વિભાગે તેમના આવાસ પરથી નવ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. બંનેની મુખ્યમંત્રી આવાસ સુધી ઓળખ રહી છે. પ્રવિણ કક્કડ તેમના માધ્યમથી જ ડિલિંગ કરતા હતા. અશ્વિનના ભાજપના નેતાઓ સાથે પણ સંબંધ છે.

Share This Article