ન્યૂયોર્ક : તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિયર હાર્ટને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અભ્યાસના આ તારણો બીયર પીનાર લોકો માટે સારા સમાચાર તરીકે છે. જા નવેસરના અભ્યાસની વાત માનવામાં આવે તો ઓછા પ્રમાણમાં અથવા તો મર્યાદિત પ્રમાણમાં બિયરનો ઉપયોગ આદર્શ તરીકે છે. આનાથી હાર્ટ સાથે સંબંધિત તકલીફનો ખતરો ઘટી જાય છે. બિયર પીવાની ટેવ ધરાવતાં ૨૦૦૦૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા વિશ્વવ્યાપી જુદા જુદા અભ્યાસના તારણોને ધ્યાનમાં લઈને એક પ્રકારના તારણો પ્રકાશિત કરાયા છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બિયરનો ઉપયોગ ૩૧ ટકા સુધી હાર્ટની તકલીફના જાખમને ઘટાડે છે. યુરોપીયન જનરલ ઓફ ઇપીડેમિલોજી દ્વારા સર્વેના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આમા જણાવવામાં આવ્યું છે કે બિયર ફાઈબર ફ્રી હોય છે. તે કેટલાક પ્રમાણમાં પ્રોટીનને રોકે છે. પ્રોટેશિયન, કાર્બોહાઈડ્રેડ, મેગ્લેશિયમ, બી વિટામીન ઉપલબ્ધ કરાવે છે જે લોહીમાં હોમો સેસ્ટીનને ઘટાડે છે. ઊંચા હોમો સેસ્ટીનનું સ્તર હાર્ટની તકલીફ માટે જાખમી પરિબળ તરીકે છે.
બીયર કુદરતી એન્ટી ઓÂક્સડન્ટને પણ ઘટાડે છે. નિયમિત પણે મર્યાદિત માત્રામાં બિયર ખૂબ જ ઉપયોગી હોવાનું અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. બિયરના ઉપયોગના સંબંધમાં જુદા જુદા તારણો હંમેશા સપાટી ઉપર આવતા રહ્યા છે. કેટલાક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બિયર અથવા વાઈન શરીરને નુકશાન કરી શકે છે. કેટલાક અભ્યાસમાં તે ફાયદો કરે છે.વધારે પ્રમાણમાં શરાબના ઉપયોગથી અકસ્માત થવાનો ખતરો પણ રહે છે.