કાશ્મીરમાં કુખ્યાત ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જમ્મુકાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા હુમલા બાદ દેશમાં નારાજગી છે ત્યારે કાશ્મીરમાં હાલમાં ત્રાસવાદીઓ અંતિમ લડાઇ લડી રહ્યા છે. ત્રાસવાદીઓનો હાલના સમયમાં જે રીતે સફાયો થયો છે તેનાથી આ બાબત સાબિત થાય છે. મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે. સ્થિતી એ છે કે આ વર્ષે જેટલા ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી છે તેના કરતા વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે.

જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. તેમના લીડરોનો શોધી શોધીને ખાતમો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં હવે અલગતાવાદીઓ હવે વિદેશી ઘુસણખોરો પર વધારે આધાર રાખી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં ૧૦૦ જેટલા  ત્રાસવાદીઓની ભરતી થઇ છે. જ્યારે ૨૫૦થી વધારે  ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાન અને પોકમાંથી  સેંકડો ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે  આ આંકડો ૨૦૦ ઉપર રહ્યો હતો. આ પ્રવાહને જાતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્યા ગયેલા  આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના  અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે.

Share This Article