By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Sep 3, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદગુજરાત

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comVijay Rupani e1527151579293
SHARE

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article BJP e1574838293992 જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે
Next Article fabric ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

August 31, 2025

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૯૪ ટકા ભરાયો

narmda dam
Dam Overflow
navratri

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ અને સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

accident

નરોડામાં ડમ્પરની ટક્કરથી એક્ટિવા સવાર બે મહિલા પોલીસકર્મીના મોત

medicens

ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%

tiktok

TikTokએ ગુડગાંવ ઓફિસ માટે નવી ભરતી શરૂ કરી, શું ટીકટોકની ભારતમાં થઈ રહી છે વાપસી?

umiyadham

મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ

download

એઆરટી ફર્ટિલિટી ક્લિનિક્સ ઇન્ડિયાનું નવી વેબસાઇટ સાથે મફત “ફિજીટલ” અનુભવ પેકેજ લોન્ચ

brds

અમદાવાદમાં BRDS ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન 2025 યોજાયું, 500 થી વધુ નવીન ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરાયુ

You Might Also Like

prerna
અમદાવાદ

એબીએસઆઇ દ્વારા રવિવારે ‘પ્રેરણા’ નામ પુસ્તકનું વિમોચન, સ્તન કેન્સરના સર્વાઇવર્સને આપે છે પ્રેરણા

3 Min Read
road
ગુજરાત

રાજ્યના તમામ જિલ્લાની પંચાયત અંતર્ગત રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર

1 Min Read
food
ગુજરાત

રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત

3 Min Read
coconut
ગુજરાત

શ્રીફળનું વાવેતર કરીને અનેક ખેડૂતો શ્રીમંત બન્યા, લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન ૨૬ કરોડ યુનિટને પાર

4 Min Read
ambaji
ગુજરાત

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫: યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર

0 Min Read
India china
ગુજરાત

પીએમ મોદી અને શી જિનપિંગને મુલાકાત બાદ ક્યાં મુદ્દાઓ પર સહમતિ થઈ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી

3 Min Read
vanshika
અમદાવાદ

નાની ઉંંમરે ઊંચી ઉડાન: 9માં ધોરણમાં ભણતી વંશિકા સિંઘના પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન કરાયું

2 Min Read
Adani International School student wins globally prestigious Crest Gold Award 2
ગુજરાતટેક્નોલોજીભણતર નું ચણતરવડોદરાસ્વાસ્થ્ય

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

3 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?