By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Thursday, Jun 26, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બૉલીવુડ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદગુજરાત

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comVijay Rupani e1527151579293
SHARE

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article BJP e1574838293992 જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે
Next Article fabric ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

June 22, 2025

ફિલ્મ ‘વિશ્વગુરૂ’નું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે સિનેમાઘરોમાં રિલીઝ

vishvguru
Film Poster
Rishabh

ઇંગ્લેન્ડમાં પંતનો પાવર, એક ટેસ્ટમાં બે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, આવું પરાક્રમ કરનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો

rath yatra 1 1

અમદાવાદ પોલીસનું જાહેરનામું : 148મી રથયાત્રાને પગલે આજે રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા

olympic

ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ઓલમ્પિક ડે 2025ની ઉજવણી કરી

world olympic Day

વિશ્વ ઓલિમ્પિક દિવસ : ઓલિમ્પિક 2036ની યજમાની કરશે ગુજરાત, અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન

Rain 1

દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ઓરંગા નદીમાં ઘોડા પૂર આવતા 40 ગામનો સંપર્ક કપાયો, નેશનલ હાઇવે 48 પર પાણી ભરાયા

The Rojki Dam in Bhavnagar district was overflow the first time this monsoon season

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

GCAS

કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ આશીર્વાદરૂપ બન્યું

You Might Also Like

Adani Foundation Rathyatra Jagganath Puri
ધાર્મિકબિઝનેસભારતરથયાત્રાવડોદરા

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

3 Min Read
rain 3
Newsગુજરાત

હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

1 Min Read
rath yatra 1
ગુજરાત

મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન

1 Min Read
saputara
ગુજરાત

ચોમાસામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે ગુજરાતનું આ સ્થળ

1 Min Read
ATGL Jio BP tie up
Newsગુજરાતબિઝનેસભારતવડોદરા

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

2 Min Read
Nandghar
ગુજરાત

આંગણવાડી પ્રવેશોત્સવ 2025: છેલ્લા ત્રણ વર્ષમાં 5 લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશ મેળવ્યો

3 Min Read
mango festival
ગુજરાત

કેસર કેરી મહોત્સવ-2025માં સૌથી વધુ રૂ. 4 કરોડની કિંમતની 3.30 લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ થયું

3 Min Read
Rathyatra 1
ગુજરાત

અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા 23,884 સુરક્ષાકર્મીઓ ખડે પગે

5 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?