• Latest
  • Trending

એનડીએમાં બેઠક વહેંચણી અંગે આજે નિર્ણય થઈ શકે

7 years ago

SAMSUNG એ ફ્લેગશિપ કેમેરા સાથે Galaxy A55 5G અને Galaxy A35 5G લોન્ચ કર્યા

2 years ago

#SheTheDifference: લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ 2024માં સમાવિષ્ટ અસાધારણ મહિલા રેકોર્ડ ધારકોની ઉજવણી

2 years ago

ઇન્દોરમાં SAVA હેલ્થકેરનો નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રોજગારની વિપુલ તકો ખોલશે

2 years ago

KRAFTONએ ઇસ્પોર્ટ્સ અને Gaming ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

2 years ago

22 માર્ચના રોજ રિલીઝ થઈ રહેલ હિન્દી ફિલ્મ “What A Kismat”ના કલાકારો અમદાવાદની મુલાકાતે

2 years ago

o2h ગ્રૂપે છઠ્ઠી કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન

2 years ago

તમન્ના ભાટિયા બની રસનાની બ્રાન્ડ એમ્બેસેડર

2 years ago

વર્લ્ડ કિડની ડે: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે કિડનીની ક્રિટિકલ સિચ્યુએશન ધરાવતી 35 વર્ષીય મહિલાની સફળ સારવાર

2 years ago

ટીવી શો શ્રીમદ રામાયણની સીતા અભિનેત્રી પ્રાચી બંસલની પ્રથમ ફિલ્મ “The Lost Girl”નું ટ્રેલર લોન્ચ,

2 years ago

ડેનિશ ઇન્ડસ્ટ્રી અને CII –IGBCએ સસ્ટેનેબલ વર્કપ્લેસ દ્વારા ભારતીય બિઝનેસની નફાકારકતા ઉપર સંશોધન અહેવાલ રજૂ કર્યો

2 years ago

MSME બિઝનેસના ગ્રોથ માટેનું વન સ્ટોપ ડેસ્ટિનશન એટલે D & V Business Consulting

2 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

એનડીએમાં બેઠક વહેંચણી અંગે આજે નિર્ણય થઈ શકે

આજે સવારે અમિત શાહના આવાસ ઉપર ભાજપ, જેડીયુ અને એલજેપીના નેતાઓની બેઠક થશે જેમાં અંતિમ નિર્ણય

KhabarPatri News by KhabarPatri News
December 23, 2018
in ભારત, રાજનીતિ
0

નવી દિલ્હી :  બિહારમાં એનડીએમાં ૨૦૧૯માં લોકસભા ચુંટણીને લઈને બેઠકોની વહેંચણી પ્રશ્ને ખેંચતાણ જારી છે. હાલમાં ખેંચતાણનો અંત આવે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા નથી. આજે ગઠબંધન સાથી પક્ષોની વચ્ચે યોજાનારી બેઠક વહેંચણીને લઈને નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. દિલ્હીમાં એનડીએના ત્રણ સાથી પક્ષો ભાજપ, જેડીયુ અને એલજેપીની સૂચિત સંયુક્ત પત્રકાર પરિષદ હવે આવતીકાલે યોજાય તેવી શક્યતા છે. આજે નિર્ણય ટળી ગયો હતો. આ પહેલા મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેતાઓની વચ્ચે સહાનુભૂતિના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી. ભાજપ અને એલજેપી વચ્ચે પણ બેઠકોની વહેંચણી અંગે સહમત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સવારે ૧૧.૩૦ વાગે ભાજપ અધ્યક્ષ અમિત શાહના આવાસ ઉપર ત્રણ પક્ષોના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠક બાદ બેઠકોની વહેંચણીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. બિહારમાં એલજેપીની પાંચ લોકસભા સીટ રહેલી છે. આ પાર્ટીને પાંચ સીટ મળી શકે છે. આ ઉપરાંત એલજેપી ચીફ રામવિલાસ પાસવાનને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. સૂત્રોના કહેવા મુજબ આ સમજૂતિ હેઠળ એલજેપીને એક લોકસભા સીટ ઉત્તરપ્રદેશમાં પણ મળશે. રવિવારના દિવસે એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને દિલ્હીમાં મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. એલજેપીના નેતા હાલના સમયમાં મુંબઈમાં છે અને આજ કારણસર બેઠક ટળી ગઈ છે. આવતીકાલે બિહારમાં એનડીએમાં સામેલ તમામ પક્ષો જેડીયુ, એલજેપી અને ભાજપની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. બિહારમાં સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ એ વખતે શરૂ થઈ હતી જ્યારે ભાજપ અને જેડીયુ દ્વારા ૫૦-૫૦ની ફોર્મ્યુલા હેઠળ બિહારમાં બરોબરીની સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

એલજેપીને ચાર અને આરએલએસપીને બે સીટો આપવાની તૈયારી હતી. આને લઈને એનડીએમાં સામેલ રહેલી આરએલએસપીના વિરોધની શરૂઆત થઈ ચુકી છે. મતભેદ જારી રહેતા ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ હતી. બિહારમાં ગઠબંધનને બચાવવા અને એલજેપીને મનાવવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહ પોતે સક્રિય થયા હતા. અમિત શાહે ગઈકાલે જ રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનને સંદેશ મોકલીને ઘરે બોલાવ્યા હતા. તમામ મતભેદો દુર કરવા માટેના પ્રયાસો થયા હતા. બિહારમાં લોકસબાની ૪૦ સીટો છે. ફોર્મ્યુલા હેઠળ જેડીયુને ૧૮, ભાજપને ૧૭ અને એલજેપીને પાંચ સીટો મળી શકે છે. શુક્રવારના દિવસે ચિરાગ પાસવાને ભાજપ નેતા અને નાણામંત્રી અરૂણ જેટલી સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે કયા મુદ્દા ઉપર વાતચીત થઈ તેને લઈને કોઈ વિગત સપાટી ઉપર આવી નથી. બિહારમાં સીટોની વહેંચણીને લઈને સમજૂતિ થઈ ચુકી છે. હવે આવતીકાલે અંતિમ નિર્ણયની જાહેરાત થશે. બિહારમાં એનડીએથી અલગ થઈને આરએલએસપીના વડા ઉપેન્દ્ર કુશવાહ હવે યુપીએમાં સામેલ થઈ ચુક્યા છે. બિહારમાં મહાગઠબંધનનો હિસ્સો રહી ચુકેલી પાર્ટીઓ નવી દિલ્હીમાં એનડીએ પર પ્રહારો કરી રહી છે. જાકે હવે આ પાર્ટીઓને મનાવી લેવામાં આવી છે. મહાગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી ઉપરાંત આરએલએસપી, જીતનરામ માઝીની હિન્દુસ્તાન આવામ મોરચા, શરદ યાદવ અને લેફ્ટ સામેલ છે. જેથી બિહારમાં એનડીએની સામે એકતા દર્શાવવાનો પડકાર છે.

Tags: Amit ShahBiharBJPJDUloksabha ElectionNDA
Previous Post

જસદણ પેટાચુંટણી : આજે ભારે ઉત્તેજના વચ્ચે રિઝલ્ટ

Next Post

તમામ ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે : મોદી

Next Post

તમામ ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે : મોદી

શહેરમાં વધારે ૨૦ AMTS બસ કંડકટર વગર જ ચાલશે

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri