દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી

News KhabarPatri
1 Min Read

દર્શને આવતા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સવારે ૮થી ૯ મંદિરના પ્રવેશ દ્વાર બંધ હોવાથી યાત્રિકોને ગેટ બહાર ઉભા રખાય છે. જેમાં મંદિર પરિસરમાં વિશાળ ડોમ બાંધ્યો હોવા છતા યાત્રિકોને ગેટ બહાર ઉભા રાખવામાં આવે છે. જેમાં પરિસરમાં વિશાળ જગ્યા હોવા છતા ગેટ બહાર યાત્રિકોને ઉભા રાખવામાં હાલાકી જોવા મળી રહી છે. તેમજ ગેટ બંધ રાખવાથી બજારમાં ભીડ જામે છે. તેમજ ગેટ ખુલ્લો રાખવામાં આવે તો યાત્રિકોને પણ સુવિધા મળી રહે અને દર્શન શાંતિથી કરી શકે છે.

Share This Article