કોરોના ચેપ પાર્કિન્સન્સ રોગનું જાેખમ વધારી શકે છે : રિસર્ચમાં દાવો

2 Min Read

વર્ષ ૨૦૦૯ માં, આ પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા રોગચાળાએ વિશ્વભરના દેશોમાં ઘણા લોકોને ઘેરી લીધા હતા. આ પછી, આ રોગ પર કરવામાં આવેલા સંશોધનમાં, જાણવા મળ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા રોગચાળો ફાટી નીકળવા પાછળ N1N1 નામનો વાયરસ છે. જ્યારે ઉંદરને સંશોધન માટે આ વાયરસનો ચેપ લાગ્યો હતો, ત્યારે તેઓ MPTP નામના ઝેર માટે વધુ સંવેદનશીલ બન્યા હતા, જે પાર્કિન્સનના લક્ષણોનું કારણ બને છે.

આ પછી આ વાયરસના મનુષ્યો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે ઈન્ફલ્યુએન્ઝા થયાના ૧૦ વર્ષ પછી પાર્કિન્સન્સ થવાનું જાેખમ બમણું થઈ જાય છે.કોરોના વાયરસનો ભોગ બન્યા પછી, સંક્રમિત વ્યક્તિ પર તેની પ્રતિકૂળ અસરો વિશે સમગ્ર વિશ્વમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. આવા જ એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના રોગચાળા માટે જવાબદાર SARS-CoV-2 વાયરસ પાર્કિન્સન રોગના વધારામાં ફાળો આપે છે.

પાર્કિન્સન એક ન્યુરોડીજનરેટિવ રોગ છે, જેમાં વ્યક્તિનું શરીર ધ્રુજવા લાગે છે અને તે યોગ્ય રીતે ચાલવામાં સંતુલન જાળવી શકતો નથી. સંશોધકોનું માનવું છે કે આ વિશે વધુ જાણવાની જરૂર છે, જેથી કરીને આપણે હવેથી આ રોગને રોકવા માટે યોગ્ય તૈયારીઓ કરી શકીએ. પાર્કિન્સન રોગમાં કોરોના રોગચાળા માટે જવાબદાર SARS-CoV-2 વાયરસની ભૂમિકા પર એક સંશોધન જર્નલ મૂવમેન્ટ ડિસઓર્ડરમાં પ્રકાશિત થયું છે.

એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ ઉંદરોના મગજના ચેતા કોષોને ટોક્સિન પ્રત્યે સંવેદનશીલ બનાવે છે, જે પાર્કિન્સન રોગ માટે જવાબદાર માનવામાં આવે છે. જેના કારણે મગજના કોષોને નુકસાન થાય છે. નિષ્ણાતોના મતે વિશ્વભરમાં બે ટકા લોકો પાર્કિન્સન રોગથી પીડાય છે. આ રોગ ૫૫ વર્ષની ઉંમરે થવાની શક્યતા વધુ હોય છે. કોરોના વાયરસ આપણા મગજ પર કેવી અસર કરે છે તે જાણવું જરૂરી છે.

જેથી ભવિષ્યમાં આ રોગનો સામનો કરવા માટે અગાઉથી દૂરગામી તૈયારીઓ કરી શકાય. સંશોધકોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસની આડ અસરો વિશે આ નવું નિષ્કર્ષ અગાઉના પુરાવા પર આધારિત છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વાયરસ મગજના કોષો અથવા ન્યુરોન્સને નુકસાન પહોંચાડે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *