મિશન દિલ્હી : કેજરીવાલથી હિસાબ માંગવા માટે આદેશ

News KhabarPatri
2 Min Read

નવી દિલ્હી : રતીય જનતા પાર્ટીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આના માટેની રણનિતી પર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રિય પ્રધાન અમિત શાહ તૈયારી શરૂ કરી ચુક્યા છે. પાર્ટી પ્રમુખ અમિત શાહે દિલ્હી ભાજપના નેતાઓની સાથે બેઠક કરી લીધી છે. સાથે સાથે તેમની સાથે ચૂંટણી રણનિતી પર ચર્ચા ચાલી રહી છે. શાહે આ બાબત પર વધારે ધ્યાન આપ્યુ છે કે દિલ્હી ભાજપના નેતાઓ કેજરીવાલ સરકારને સતત પ્રશ્નો પુછવાનો સિલસિલો શરૂ કરે. આના કારણે પાર્ટીને સીધો લાભ થશે.

છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે વચનો આમ આદમી પાર્ટી દ્વારા આપવામા આવ્યા હતા તે વચનો પાળવામાં આવી રહ્યા છે કે કેમ. આને લઇને તમામ તૈયારી શરૂ કરવામા આવી ચુકી છે. અમિત શાહે કેન્દ્રિય પ્રધાનોની સાથે પણ બેઠક કરી છે. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભ દિલ્હીની પ્રજાને મળે તેની ખાતરી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે મનોજ તિવારીની સાથે મળીને આ સંબંધમાં રણનિતી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ છે.

અમિત શાહના આવાસ પર આ સંબંધમાં લાબી બેઠક થઇ ચુકી છે. જેમાં મનોજ તિવારી સહિતના પાર્ટીના સાત લોકસભા સાંસદ, ચાર ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદ વિજય ગોયલ પણ હાજર રહ્યા હતા. કોર કમિટીના સભ્યો અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. કેજરીવાલના પ્લાનથી તેમને પછડાટ આપવા માટેની તૈયારી કરવામાં આવી ચુકી છે. દિલ્હી સરકાર લોકોને આકર્ષિત કરવા મુદ્દા રજૂ કરી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *