By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, May 20, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Reading: મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 pm
News KhabarPatri
અમદાવાદ ગુજરાત
Share
3 Min Read

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ
દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ૧૯ જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન, જાણો કેટલા ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થયું કેદ
ગુજરાત રાજનીતિ સ્થાનિક સમાચાર

You Might Also Like

અમદાવાદ

અમદાવાદમાં પરશુરામ જયંતિએ ભવ્ય રક્તદાન શિબિર, બ્રહ્મસમાજનો ઉમળકો

News KhabarPatri
News KhabarPatri
ગુજરાત

મહેસાણામાં ઉમિયા ભક્તોની ભક્તિનો મહાસાગર, 8,000થી વધુ લોકોએ આરતીમાં ભાગ લીધો

News KhabarPatri
News KhabarPatri
Newsઅમદાવાદકળા અને સાહિત્ય

પરંપરા અને Gen Z નો સંગમ: અર્પણા’સ એલિવેટમાં ‘ભજન જામ’એ ભક્તિને આપ્યો આધુનિક સ્પર્શ

News KhabarPatri
News KhabarPatri
અમદાવાદ

અમદાવાદમાં ‘વાસ્ક્યુલાઈટિસ પેશન્ટ સપોર્ટ ગ્રુપ’નું લોન્ચ, દુર્લભ રોગ અંગે જાગૃતિ માટે મહત્વપૂર્ણ પહેલ

Rudra
Rudra
Newsઅમદાવાદગુજરાત

GIIS અમદાવાદના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો CBSE 2026માં શાનદાર દેખાવ, અયાન ચેટ્ટિયાર 99.6% સાથે ટોપર

News KhabarPatri
News KhabarPatri
અમદાવાદ

‘ઉમંગ સે પતંગ’ફાઉન્ડેશનની અનોખી પહેલ, જરૂરિયામંદ બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન

Rudra
Rudra
ગુજરાત

ગુજરાતના હવામાનમાં પલટો: આંધી-વંટોળ અને કરા સાથે પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

Rudra
Rudra
ગુજરાત

કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ રજૂ કરતા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આનંદ વ્યક્ત કરાયો

Rudra
Rudra

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?