શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી પીએમ મોદી પર કર્યો સીધો પ્રહાર

News KhabarPatri
1 Min Read

હાલમાં કર્ણાટક ચૂંટણીને લઇને રાજનીતિ શીખરે પહોંચી છે. કર્ણાટકમાં વિવિધ સ્થળે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અનેક રેલીયો યોજાઇ ગઇ. આ બધી ચૂંટણીની દોડધામ વચ્ચે બીજેપીના સ્ટાર નેતા શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદીએ પીએમ મોદી પર સીધો પ્રહાર કર્યો છે.

શત્રુઘ્ન સિંહાએ ટ્વીટર પર નરેન્દ્ર મોદીને ટેગ કરી ટ્વીટ કરી કે કર્ણાટકમાં આજે ચૂંટણી પ્રચાર થંભી ગયો, પરંતુ યુપી અને બિહારમાં જેમ મને પ્રચારમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો, કારણ આપણ સૌને ખબર છે પરંતુ જુના દોસ્તની જેમ જ હું એટલું કેહવા ઇચ્છું છે કે આપે પ્રધાનમંત્રી પદની ગરિમા જાળવવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ચૂંટણી પ્રચારમાં બીજેપીના સ્ટાર પ્રચારક નેતા શત્રુઘ્ન સિંહાને પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા.

શત્રુઘ્ન સિંહાએ અન્ય ટ્વીટમાં લખ્યું છે કે આપણે કોંગ્રેસ પર પીપીપી તરીકે કોમેંટ કેમ કરી રહ્યાં છે, જ્યારે પરિણામ તો ૧૫ મેએ આવવાનું છે. પ્રધાનમંત્રી બનવાથી કોઇ બુદ્ધિમાન બની જતું નથી. કર્ણાટકમાં જનતાને નક્કી કરવા દો.

આ પહેલા પણ શોટગન પોતાની જ પાર્ટી પર પ્રહાર કરી ચૂંક્યા છે.

Share This Article