આવકવેરાના દરોડામાં દિલ્હીની ત્રણ કેટરીંગ કંપનીઓની રૂપિયા ૧૦૦ કરોડની કરચોરી બહાર આવી

News KhabarPatri
1 Min Read

મગળવારે દિલ્હીમાં કેટરિંગ અને મંડપની સુવિધા આપતી ત્રણ મોટી કંપનીઓ પર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં. આ દરોડામાં ૧૦૦ કરોડ રૂપિયાની કરચોરી પકડાઇ છે.

છેલ્લા ૬ દિવસમાં આ ત્રણ કંપનીઓના ૪૩ સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન ૧.૮૨ કરોડ રૃપિયાની રોકડ અને ૨.૪ કરોડ રૂપિયાની જવેલરી જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગને આ દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટરિંગ અને મંડપની સુવિધા આપતી આ કંપનીઓ મોટે ભાગે રોકડમાં લેવડદેવડ કરતી હતી.

રોકડ વ્યવહારોના કેટલાક પુરાવા જપ્ત કરી લેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી વેચાણ અને સર્વિસ ચાર્જના આંકડાઓ છૂપાવતા હતાં. આ કંપનીઓના ઓપરેટરોના ૧૫ બેંક લોર્ક્સ પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણ કંપનીઓ ૧૦૦ કરોડનું કાળું નાણું ધરાવતા હોવાની શંકા છે. આ ત્રણ કંપનીઓના ઓપરેટરોએ શેલ કંપનીઓ પાસેથી ખરીદીના બોગસ બિલો રજૂ કર્યા હતાં.

આવકવેરા વિભાગ આ ત્રણ કંપનીઓની સર્વિસ લેનારા હાઇ પ્રોફાઇલ ગ્રાહકોની પણ તપાસ કરી રહ્યું છે. આવા ગ્રાહકો દ્વારા રોકડમાં આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *