એપ્રિલથી ઇ-વે બિલ્સના નિયમોમાં સુધારા લાગુ પડશે

News KhabarPatri
2 Min Read

ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વ્યવસ્થા હેઠળ ગૂડ્ઝની હેરફેરને વધારે સરળ બનાવવા માટે સરકારે ઇ-વે રુલ્સમાં થોડા ફેરફાર કર્યા છે, નાના બિઝનેસ, એફએમસીજી કંપનીઓ તથા કુરિયર અને ઇ-કોમર્સ કંપનીઓને વધારે રાહત આપવામાં આવી છે.

નવા નિયમ હેઠળ ગૂડ્ઝની હેરફેર રાજ્યની અંદર જ કરવામાં આવનાર હોય તો કન્સાઇનમેન્ટનું કુલ મૂલ્ય રૂ. 50,000થી વધારે હોય પરંતુ વ્યક્તિગત કન્સાઇનમેન્ટનું મૂલ્ય રૂ.50,000તી ઓછું હોય તો ઇ-વે બિલની કોઈ જરૂરિયાત રહેશે નહીં, આના કારણે ઇ-કોમર્સ અને કુરિયર કંપનીઓને રાહત આપવામાં આવી છે જેઓ ડિલિવરી માટે વધારે પેકેજની હેરફેર કરે છે.

બન્નેને રાહત આપવામાં આવે અને ટેક્સેબલ ગૂડ્ઝની હેરાફેરી થાય તો ફક્ત કરપાત્ર સપ્લાયના મૂલ્યને જ ઇ-વે બિલ જનરેટ કરવા માટેના હેતુ માટે ગણવામાં આવશે. આના કારણે ઉદ્યોગને ખાસ કરીને એફએમસીજી કંપનીઓને કે જેઓ તમામ પ્રકારના ગૂડ્ઝની હેરફેર કરે છે તેમને વધારે રાહત મળશે.

ઇ-વે બિલ આગામી પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવે તેવી દરખાસ્ત છે. ઇ-વે બિલ હેરફેર કરવામાં આવતાં માલસામાનની માહિતી છે અને તેને કરચોરીને ટાળવા માટે મહત્ત્વપૂર્ણ બાબત તરીકે જોવામાં આવે છે. તેને ઇન્ટર સ્ટેટ સપ્લાયીઝ માટે પહેલી ફેબ્રુઆરીથી બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ સિસ્ટમના પ્રશ્નોના કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જીએસટી કાઉન્સિલ આ મુદ્દે 10 માર્ચના રોજ નિર્ણય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. રેલવે દ્વારા ડિલિવરીના સમયે ઇ-વે બિલને ફરજિયાત કરવામાં આવ્યું હતું તથા ગૂડ્ઝના ઇન્ટર-સ્ટેટ મૂવમેન્ટના સંજોગોમાં જોબ વર્કર્સ પણ ઇ-વે બિલ જનરેટ કરી શકે છે.

10 કિલોમીટરના અંતરમાં રાજ્યની અંદર માલની હેરફેર કરવાની હોય તો ઇ-વે બિલની જરૂરિયાત હોતી નથી. આ અંતરને હવે વધારીને 50 કિલોમીટર કરવામાં આવ્યું છે જેથી નાના બિઝનેસિસને મદદ મળશે. પીડબલ્યુસી ખાતે ઈનડાયરેક્ટ ટેક્સના પાર્ટનર અને લીડર પ્રતીક જૈને જણાવ્યું હતું કે, આ ફેરફારો સાથે ઇ-વે બિલના નિયમો અગાઉની સરખામણીએ વધારે સરળ થયા છે. ફેરફારો કરવામાં ઝડપ દર્શાવે છે કે તાજેતરમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો તે પ્રમાણે સરકાર પહેલી એપ્રિલથી ઇ-વે સિસ્ટમનો અમલ કરવા આતુર છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *