• Latest
  • Trending

કૈલાસ માનસરોવર યાત્રાને લઇને ડર, ભ્રામક ખ્યાલો અને ગેરમાન્યતાઓને દૂર કરતા પુસ્તક કૈલાસ દર્શન વિમોચન

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

કૈલાસ માનસરોવર યાત્રાને લઇને ડર, ભ્રામક ખ્યાલો અને ગેરમાન્યતાઓને દૂર કરતા પુસ્તક કૈલાસ દર્શન વિમોચન

કૈલાસ યાત્રા પર જવા માટે શું કરવું, શું કાળજી રાખવી, કઇ-કઇ ચીજવસ્તુઓ લઇ જવી તે અંગે બધી માહિતી છે

KhabarPatri News by KhabarPatri News
August 14, 2018
in અમદાવાદ, કળા અને સાહિત્ય, પુસ્તક પરિચય
0

અમદાવાદઃ દેવાધિદેવ મહાદેવના હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરાયેલા વિશ્વપ્રસિધ્ધ કૈલાસ માનસરોવરની તીર્થયાત્રાને લઇ પર્યટકો અથવા તો ધર્મપ્રેમી જનતામાં અનેક ભ્રમણાઓ, ડર અને ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે ત્યારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અને કૈલાસ માનસરોવરની યાત્રા પૂર્ણ કરીને આવેલા શિવભકત દંપતિએ કૈલાસ માનસરોવર જવા ઇચ્છતા અને ધર્મપ્રેમી જનતાના હિતાર્થે કૈલાસ દર્શન નામનું એક અનોખું પુસ્તક પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

નોંધનીય વાત તો એ છે કે, સામાન્ય રીતે કોઇપણ લેખક પોતાના પુસ્તકનું વિમોચન જાણીતી હસ્તી કે મહાનુભાવના હસ્તે કરાવતા હોય છે, પરંતુ પ્રસ્તુત કિસ્સામાં વિષ્ણુભાઇ પટેલે તેમના માતૃશ્રી જીવીબહેન આર.પટેલના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. એટલું જ નહી, કૈલાસ માનસરોવર જવા ઇચ્છતા અને અન્ય પર્યટક-ધર્મપ્રેમી જનતાને આ દંપતિએ કૈલાસ દર્શન પુસ્તક વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

કૈલાસ દર્શન નામના આ પુસ્તકમાં કૈલાસ માનસરોવર જવા માટે શું કરવું, શું કાળજી રાખવી, કઇ-કઇ ચીજવસ્તુ  લઇ જવી, હેલ્થ ચેક અપ, તબિયતની કાળજી, તેના નિયમો-જાગવાઇઓ, યાત્રા દરમ્યાન સાથે શું રાખવું, યાત્રા માટે સરકારમાં અરજી કેવી રીતે કરવાથી માંડી પરત ફરવા સુધીની ઝીણામાં ઝીણી માહિતીનો ઉલ્લેખ કરાયો છે.

કંઇક રસપ્રદ અને પ્રેરણારૂપ એવા આ કિસ્સાની વિગત એવી છે કે, શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અને ધંધાકીય એકમ ધરાવતાં વિષ્ણુભાઇ પટેલ માત્ર ધોરણ-૧૦ સુધી જ ભણેલા છે. ઉંઝાના હાજીપરાના વતની પત્ની ભારતીબહેન પટેલ સાથે પોતાની પાછલી જીંદગી વ્યતીત કરી રહ્યા હતા ત્યાં અચાનક કૈલાસ માનસરોવર જઇને આવેલા શિવભકત દ્વારા ઘેર પ્રસાદ આપવામાં આવ્યો હતો અને તેને લઇને બસ કૈલાસ માનસરોવર જવાની વિષ્ણુભાઇ પટેલને પ્રેરણા જાગી અને આ ધાર્મિક યાત્રામાં તેમણે પોતાની પત્ની ભારતીબહેનને પણ સહભાગી બનાવ્યા. પહેલાં તો લોકોના કહ્યા-સાંભળ્યા પ્રમાણે, કૈલાસ માનસરોવરની યાત્રા બહુ કઠિન છે, તેમાં બહુ અઘરી પ્રક્રિયા હોય છે અને કાચા-પોચાનું કામ નહી જેવી વાતો કાને અથડાઇ હતી, પરંતુ આખરે મન મક્કમ કરીને તેઓ પોતાની કૈલાસ માનસરોવરની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત આવ્યા હતા.તાજેતરમાં ભારતમાં લિપુલેખ પાસના રસ્તેથી કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રા સંપન્ન કરીને આવેલા દંપતિએ પરત ફર્યા બાદ મનમાં દેવાધિદેવ મહાદેવના આ પવિત્ર સ્થાનકમાં જવા ઇચ્છતા અન્ય ધર્મપ્રેમી લોકો અને પર્યટકોના ડર, ભ્રામક ખ્યાલો અને ગેરમાન્યતાઓને દૂર કરવાના ઉમદા આશયથી  કૈલાસ દર્શન નામનું ખાસ પુસ્તક લખવામાં આવ્યું, અને તેનું વિતરણ પણ ધર્મપ્રેમી જનતામાં બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવ્યું.

નોંધનીય વાત તો એ છે કે, વિષ્ણુભાઇએ પોતાના આ પુસ્તકનું વિમોચન બીજા કોઇ મહાનુભાવો કે હસ્તીના હાથે નહી, પરંતુ માતા જીવીબહેન આર. પટેલના હસ્તે કરાવ્યું અને સમગ્ર સમાજમાં એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય એચ.એસ.પટેલ, પાટીદાર સમાજનાં અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. લેખક દંપતિ દ્વારા સહ કૈલાસ માનસરોવર યાત્રીઓનાં સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતનાં રસ્તેથી થતી કૈલાસ માનસરોવર યાત્રાની વિડીયો ફિલ્મ, ફોટો પ્રદર્શન વગેરે પણ બતાવવામાં આવ્યું હતું. ૮૪ પાનાનાં કૈલાસ દર્શન પુસ્તકમાં લેખક દંપતિએ યાત્રાની તૈયારીથી લઈને યાત્રા પરિપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ વિગતોને કંડારી છે અને સુંદર ફોટોગ્રાફસ પણ મુક્યા છે. આ પુસ્તક તમામ ધર્મપ્રેમી જનતા ખાસ કરીને કૈલાસના દર્શન કરવા ઇચ્છતા યાત્રાળુઓ માટે માર્ગદર્શક સાબિત થાય તેમ છે.

Tags: AhmedabadBookBook LaunchKailash Yatra
Previous Post

સ્વાતંત્ર પર્વ વિશેષ શ્રેણી ભાગ-5 : ૭૨માં સ્વાતંત્ર પર્વ નિમિતે, ચાલો જાણીએ આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે

Next Post

અમદાવાદઃ મેલેરિયાના ૧૧ દિવસમાં ૫૨૦ કેસો નોંધાયા

Next Post

અમદાવાદઃ મેલેરિયાના ૧૧ દિવસમાં ૫૨૦ કેસો નોંધાયા

LOC પર સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાનના મોત

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri