વડોદરા: અમદાવાદના શાંતિગ્રામ ખાતેની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલએ પ્રખ્યાત લેખિકા, પરોપકારી અને પદ્મભૂષણથી પુરસ્કૃત સુધા મૂર્તિની પ્રેરક ઉપસ્થિતિમાં વાંચન અને વાર્તા કહેવાના તેના વાર્ષિક ઉજવણીના ઉપક્રમ બુકફ્લિક્સની ત્રીજી આવૃત્તિ ખુલ્લી મૂકવામાં આવી હતી. સુધા મૂર્તિ સમારોહના મુખ્ય અતિથી અને અધ્યક્ષપદે ખાસ હાજર રહ્યા હતા.
આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ (ADIS)ના પ્રયોજક નમ્રતા અદાણીએ આ પ્રસંગે ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે પ્રેરણા આપવા બદલ સુધા મૂર્તિનો આભાર વ્યકત કરી જણાવ્યું હતું કે “બુકફ્લિક્સના આરંભ અગાઉથી અમારી સ્કૂલનું કેમ્પસ વાર્તાઓ, સંવાદો, પુસ્તકોના આદાનપ્રદાન અને સર્જનાત્મક સાહસિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે. તેમણે કહ્યું કે નીત નવી અજાયબીઓને પ્રેરણા આપવી, બાળકોના ચહેરાઓ ઉપર પ્રસન્નતા બની રહે તે માટે આનંદીત વાતાવરણ બનાવવા સાથે જીવન ઘડતરના મહત્વના મૂલ્યોને વધુ ઉંડાણથી તેઓને સમજાવવાની અમારી સરળ આશા છે આ બાબતો અમારા દ્રષ્ટિકોણને આકાર આપીને વિશ્વનો અર્થ સમજાવવામાં મદદ કરે છે.
આ મુલ્યોને શીખનારાઓ-કેન્દ્રિત ફિલસૂફી માટે જાણીતી ADIS સાહિત્ય, કલા અને પ્રત્યુત્તર-આધારિત રોજબરોજના શિક્ષણને અભ્યાસમાં એકીકૃત કરે છે. બુકફ્લિક્સનો ઉપક્રમ સર્વાંગી વિકાસ પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતાની આવશ્યક અભિવ્યક્તિ કરે છે.
આ પ્રસંગે સુધા મૂર્તિએ કેમ્પસમાં 800 વિદ્યાર્થીઓના સમુદાયને સંબોધતા વાંચન, કલ્પના અને મૂલ્યો વિષે ઉંડાણથી સમજ આપી હતી.. આ વેળા યોજાયેલી વિશિષ્ટ પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ મૂર્તિને તેમના પુસ્તકો, લેખન પ્રક્રિયા અને જીવનના અનુભવો વિશે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. બાળકો પ્રત્યેનો તેમનો સાલસ અને સરળ અભિગમ ઉપસ્થિત સહુ માટે મનભાવન બની રહયો હતો.
સુધા મૂર્તિએ ADIS વિદ્યાર્થીઓને શાળામાં મળતી દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી જણાવ્યું હતું કે શાળાકીય અભ્યાસના અનુભવો ” પાયાના પથ્થરો” છે, જે ભાવિની જીંદગીમાં “હીરા” માં પરિવર્તિત થાય છે. તેમણે બાળકોને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે આજની અપાર પસંદગીઓ આવતીકાલની શક્તિઓને ઘડે છે. વિદ્યાર્થીઓના માતાપિતા સાથે સંવાદ કરતા, તેમણે બાળકોને તેમના પોતાના માર્ગો પસંદ કરવાની સ્વતંત્રતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સુધા મૂર્તિએ વિદ્યાર્થીઓને સમયનો આદર કરવા, વિશ્વસનીય બનવા અને આંતરિક પ્રતિભાને સખત મહેનત સાથે જોડવી એ સફળતા માટે જરૂરી હોવાની યાદ અપાવી હતી. તેમણે ટકોર કરી હતી કે સૌથી હોશિયાર બાળક પણ શિસ્ત અને સમર્પણ વિના પ્રગતિ કરી શકશે નહીં. વાંચનની જરુરિયાતને પ્રતિબિંબિત કરતા સુધા મૂર્તિએ વિદ્યાર્થીઓને વ્યાપકપણે સંશોધન કરવા અને ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વાંચનને શિક્ષણના કેન્દ્રમાં રાખે છે તે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.. જ્યારે બાળકો વાંચે છે, ત્યારે સહાનુભૂતિ, કલ્પનાશક્તિ અને જીવન માટેનો તેઓ મજબૂત પાયો બનાવે છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને દાદીમાની બેગ ઓફ સ્ટોરીઝ, ગોપી ડાયરીઝ, થ્રી થાઉઝન્ડ સ્ટીચ અને વાઈઝ એન્ડ અધરવાઈઝ જેવા પ્રિય શીર્ષકો પાછળના પ્રખ્યાત લેખકને મળવા માટે ભારે ઉત્સાહિત હતા. ટેલ્કોની પ્રથમ મહિલા એન્જિનિયર બનવાથી લઈને 25 વર્ષ સુધી આઇટી મેજર ઇન્ફોસિસ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરવા સુધીની તેમની સફર દેશભરના યુવા મનને પ્રેરણા આપે છે. હૃદયપૂર્વકના સંકેત તરીકે ADISના વિદ્યાર્થીઓએ સુધા મૂર્તિને ખાસ ક્યુરેટ કરેલા પુસ્તકો ભેટ આપ્યા હતા.
પ્રાથમિક કક્ષના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પ્રથમ, તેમના જીવન અને વાર્તાઓને IB લર્નર પ્રોફાઇલ સાથે સુંદર રીતે જોડે છે. માધ્યમિક વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ બીજો હસ્તલિખિત પ્રત્રોનો સંગ્રહ છે જે તેમના મૂલ્યો અને લખાણો તેમને વિચારશીલ, દયાળુ વ્યક્તિઓ તરીકે વિકાસ કરવા માટે કેવી રીતે પ્રેરણા આપે છે તે અભિવ્યક્ત કરે છે. ADIS ની સાથે વિકાસની ફિલસૂફીના પ્રતીક સમાન “समवृद्धिः શીર્ષક હેઠળ સહયોગી કલાકૃતિ પણ વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરી હતી.. આ જીવંત કોલેજ જિજ્ઞાસા, હિંમત, નવીનતા, દયા, સ્વ-શિસ્ત અને દ્રઢતા જેવા મૂલ્યોને એક સામૂહિક અભિવ્યક્તિમાં એકત્ર કરે છે. શ્રીમતી મૂર્તિ ADIS વિદ્યાર્થીઓએ દર્શાવેલા સ્નેહ અને આદરથી ખૂબ પ્રભાવિત થયા હતા. 27 નવેમ્બર સુધી ચાલનારો, બુકફ્લિક્સ ADIS કેમ્પસને વર્કશોપ, વાર્તા કહેવાના સત્રો, પાત્ર પ્રયોગશાળાઓ, સર્જનાત્મક લેખન સ્ટુડિયો અને લેખક-નેતૃત્વ ક્રિયાપ્રતિક્રિયાઓથી ભરેલા જીવંત સાહિત્યિક ક્ષેત્રમાં પરિવર્તિત કરનાર બની રહેશે. આ ઉત્સવ આત્મવિશ્વાસપૂર્વક, જિજ્ઞાસુ અને દયાળુભાવ સાથે જીવનભર શીખનારાઓને ઉછેરવાના શાળાના મિશનને મજબૂત બનાવે છે. બુકફ્લિક્સ 2025 ખુલ્લો મૂકવાની ઘોષણા કરતા નમ્રતા અદાણીએ કહ્યું, “વાંચનનો આનંદ, વાર્તાઓનો જાદુ અને સર્જનાત્મકતાની શક્તિને પ્રભુત્વ આપવા દો.”
