મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળ માટેના સુફળ આપનારા આ સફળ અભિયાનના સમાપન ટાણે એમ કહ્યું કે, ‘જન ભાગીદારીથી રાજ્યની પ્રજાએ નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે.’ આજે આ જળ અભિયાનના સમાપન અવસરે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢુંઢીયા ગામે વહીવટી તંત્ર અને પ્રજાનો ઉત્સાહ જુઓ કે, જે સ્થળે માટીકામ કરાયું એ જગ્યાએ ૪૮ જેસીબી અને બે ડમ્પરને ડિઝાઈનની જેમ ગોઠવીને ‘જળ અભિયાન’નું આલેખન કરાયું. મિશન જેવી હોંશ અને મશીનરીની મદદ હોય તો પરસેવો પારસમણી ન બને તો જ નવાઈ !!!
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more