Solar Panel Guide: મોટાભાગના લોકો વીજળીના બિલમાં રાહત મેળવવા માંગે છે, જેના માટે તેઓ પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો એવું વિચારે છે કે સોલર પેનલ ત્યારે જ વીજળી ઉત્પન્ન કરશે, જ્યારે તડકો ખૂબ જ વઘુ હશે. એટલે કે જેટલો વધુ તડકો હશે, એટલી વધુ વીજળી સોલર પેનલ બનાવશે. પરંતુ એવું જરૂરી નથી.
જો તમે પણ તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવ્યા છે અને વધુ તડકો હોવા છતાં પેનલ ઓછી વીજળી બનાવી રહ્યા છે, તો ઘણા લોકો માની લે છે કે પેનલમાં કોઈ ખામી સર્જાઈ છે. પરંતુ એવું જરૂરી નથી કે સોલર પેનલમાં જ કોઈ ખરાબી હોય. ઘણી વખત કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન ન રાખવાને કારણે વધુ તડકો હોવા છતાં પેનલ ઓછી વીજળી ઉત્પન્ન કરે છે.
કયા કારણોસર સોલર પેનલ ઓછી વીજળી બનાવે છે?
1. છાંયડાની અસર પણ સોલર પેનલ પર પડે છે
જો તમે તમારા ઘરની છત પર સોલર પેનલ એવી જગ્યાએ લગાવ્યા છે, જ્યાં પૂરતો તડકો પહોંચતો નથી અથવા ઝાડ અને ઊંચી ઇમારતોને કારણે સોલર પેનલ સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી, તો તેના કારણે પણ પેનલ ઓછી વીજળી ઉત્પન્ન કરશે. જો તમારા ઘરની છત પર લગાવેલા સોલર પેનલ પર પણ કોઈ વસ્તુનો છાંયો પડી રહ્યો હોય, તો પેનલ ઓછી વીજળી બનાવશે.
2. ધૂળ-માટી અને પક્ષીઓની ચરકથી પણ અસર પડે છે
જો સોલર પેનલ પર લાંબા સમયથી ધૂળ-માટી અથવા પક્ષીઓની ચરક જમા થઈ ગઈ હોય, તો તેના કારણે સૂર્યપ્રકાશ સોલર પેનલ સુધી યોગ્ય રીતે પહોંચી શકશે નહીં. પરિણામે સોલર પેનલ ઓછી વીજળી ઉત્પન્ન કરશે. તેથી સમયાંતરે પેનલની સફાઈ કરવી જરૂરી છે અને તેના પર ધૂળ-માટી જમા ન થવા દેવી જોઈએ, જેથી પેનલ સારી રીતે વીજળી ઉત્પન્ન કરી શકે.
3. આ કારણથી પણ વીજળીના ઉત્પાદન પર અસર પડે છે
જો પેનલ પર ધૂળ-માટી નથી અને તેના પર કોઈ વસ્તુનો છાંયો પણ પડતો નથી, પરંતુ તેમ છતાં વીજળીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, તો વાયરિંગ અને ઇન્વર્ટરની તપાસ કરાવવાની જરૂર પડી શકે છે. કેટલીક વખત ટેક્નિકલ સમસ્યાઓને કારણે પણ સોલર પેનલ ઓછી વીજળી ઉત્પન્ન કરે છે.

