કોના પણ ભડક્યો યુવરાજ સિંહ? કહ્યું-તેઓના માથે ચપ્પલ મારવાની જરૂર છે

Rudra
2 Min Read

IPL 2026ના પ્લેઓફની લાઇન-અપ તો નક્કી થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન યુવરાજ સિંહ એક અલગ જ મૂડમાં જોવા મળ્યો. તે IPLના ત્રણ ખેલાડીઓ પર ભડકતા દેખાયા અને તેમને ચપ્પલથી મારવાની વાત કરતા નજર આવ્યા. ખાસ વાત એ છે કે યુવરાજે આ વાત ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર કરી હતી.

યુવરાજ સિંહ જે રીતે ખેલાડીઓ પર રોષ વ્યક્ત કરી રહ્યા હતા, તેમની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. તેમાંનો એક ખેલાડી તેમનો ચેલો માનવામાં આવે છે, જ્યારે બાકીના બે ભલે તેમની પાસે ટ્રેનિંગ લીધેલી ન હોય, પરંતુ તેમનું યુવરાજ સાથે પંજાબ કનેક્શન જરૂર છે. યુવરાજ સિંહે પ્રિયાંશ આર્ય, અર્શદિપ સિંહ અને હરમનપ્રીત બ્રારને ચપ્પલ મારવાની વાત કરી હતી.

પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રાર — આ ત્રણેય ખેલાડીઓ IPL 2026માં Punjab Kingsનો ભાગ હતા, પરંતુ ટીમને ફરી એકવાર ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું પડ્યું.

હવે પ્રશ્ન એ છે કે યુવરાજ સિંહે આ ત્રણેય ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત ક્યારે કરી? એવું ત્યારે બન્યું જ્યારે હરમનપ્રીત બ્રારે એક તસવીર શેર કરી, જેમાં પ્રિયાંશ આર્ય અને અર્શદીપ સિંહ પણ હતો. હરપ્રીતે ફોટોમાં પ્રિયાંશને “સ્લોગર” અને અર્શદીપને “બ્લોગર” તરીકે ઓળખાવ્યો હતો. એ જ તસવીર પર કોમેન્ટ કરતાં યુવરાજ સિંહે લખ્યું કે, “તમને બધાને હવે ચપ્પલ મારવાનો સમય આવી ગયો છે.”

IPL 2026ના પ્લેઓફમાં ભલે આ ખેલાડીઓની ટીમ પહોંચી શકી ન હોય, પરંતુ તેમના વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો માત્ર પ્રિયાંશ આર્યનું પ્રદર્શન થોડું સારું રહ્યું હતું. પ્રિયાંશે 13 મેચોમાં 211થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે 364 રન બનાવ્યા હતા.

જ્યારે અર્શદીપ સિંહે 14 મેચોમાં 38.64ની એવરેજ અને 10.20ની ઇકોનોમી સાથે 541 રન આપીને માત્ર 14 વિકેટ લીધી હતી. બીજી તરફ હરપ્રિત બ્રારે માત્ર 2 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી.

Share This Article