ભારત-વિન્ડીઝની વચ્ચે છેલ્લી વનડે મેચને લઇ ભારે ઉત્સુકતા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

કટકના મેદાન ખાતે આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણીની અંતિમ મેચ રમાનાર છે. બીજી વનડે મેચ જીતીને ભારતે શ્રેણીને ૧-૧થી બરોબર કરી હતી. જેથી ત્રીજી અને અંતિમ મેચ બંને ટીમો માટે નિર્ણાયક રહેનાર છે. એકબાજુ ભારતીય ટીમ સતત શ્રેણી જીતવા માટેના તેના રેકોર્ડને આગળ વધારી દેવા માટે તૈયાર છે. બીજી વનડે મેચમાં ૧૦૭ રને મોટી જીત મેળવી લીધા બાદ ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે.

બીજી બાજુ વિન્ડીઝ પણ દેખાવને સુધારી દેવા માટે તૈયાર છે. કટકમાં જોરદાર ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મેચમાં ટોસ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. મેચને લઇને જોરદાર ક્રિકેટ ક્રેઝ જોવા મળે છે. કટક મેદાન પર મેચને લઇે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની શ્રેણી રમાનાર છે. મંયકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોઇ પણ અનિચ્છનીય બનાવોને ટાળવા માટે તમામ પગલા તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. ભારત પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી છે.

Share This Article