અંકિતા ફિલ્મોમાં છવાઇ જવા ઇચ્છુક

ટીવી સિરિયલોમાં ભારે લોકપ્રિયતા મેળવી લીધા બાદ બોલિવુડની ફિલ્મોમાં ટીવી સિરિયલોની લોકપ્રિય અભિનેત્રીઓનો એન્ટ્રીનો સિલસિલો જારી રહ્યો છે. વિતેલા વર્ષોમાં અનેક સ્ટાર ટીવી મારફતે બોલિવુડમાં પ્રવેશી ચુકી છે જેમાં પ્રાચી દેસાઇનો પણ સમાવેશ થાય છે. થોડાક સમય પહેલા મૌની રોય પ્રવેશી ગઇ હતી. તે અક્ષય કુમારની સાથે ગોલ્ડ ફિલ્મમાં નજરે પડી હતી. મૌની બાદ અંકિતા લોખંડે પણ હવે બોલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી કરી ચુકી છે. તે પણ મૌની રોયની જેમ બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તે નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી હરિફાઇને લઇને પરેશાન નથી. તે કોઇ પણ ગ્લેમર રોલ કરવા માટે પણ તૈયાર છે. ટીવી સિરિયલમાં લોકપ્રિયતા જગાવ્યા બાદ બોલિવુડમાં અનેક અભિનેત્રીઓ સફળ રહી છે.

હાલની વાત કરવામાં આવે તો મૌની રોય, અને તે પહેલા પ્રાચી દેસાઇ બોલિવુડની ફિલ્મોમાં સફળતા મેળવી ચુકી છે. અંકિતા પણ મૌની રોયની જેમ લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. અંકિતા લોખંડે પોતાના લોકપ્રિય ટીવી શો પવિત્ર રિસ્તામાં અદા કરવામાં આવેલા અર્ચનાના પાત્રના કારણે ભારે લોકપ્રિય થઇ હતી. આશરે પાંચ વર્ષ સુધી પોતાના આ શો મારફતે ચાહકોને રોમાંચિત કર્યા બાદ તે થોડાક સમય પહેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની લાઇફ પર બનેલી  ફિલ્મ મારફતે એન્ટ્રી કરી ગઇ હતી. તે મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી નામની ફિલ્મમાં કામ કર્યા બાદ આશાવાદી છે. તેની પાસે હવે મોટી ફિલ્મ આવી ગઇ છે. તે હવે ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપુરની સાથે બાગી-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જેમાં તે શ્રદ્ધા કપુરની બહેનના રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મ છટ્ઠી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અંકિતા હમેંશા એકટિંગ કેરિયર કરતા પોતાના રિલેશનશીપ સ્ટેટસને લઇને વધારે ચર્ચામાં રહી છે.

હકીકતમાં પવિત્ર રિસ્તામાં પોતાના સહ સ્ટાર રહેલા સુશાંત સિંહ રાજપુતની સાથે કેટલાક વર્ષો સુધી તે લિવ ઇન રિલેશનશીપમાં રહી હતી. ત્યારબાદ બ્રેક અપની સ્થિતિ થઇ ગઇ હતી. બ્રેક અપના સમાચારના કારણે અંકિતા છવાયેલી રહી હતી. ત્યારબાદ સોશિયલ મિડિયામાં પર પોતાના મિત્ર કુશાલ ટંડનની સાથે ફોટો શેયર કરવાના કારણે પણ તેની ચર્ચા તેની સાથે સંબંધને લઇને શરૂ થઇ હતી. જેના પર અંકિતા પોતે માને છે કે તેને આ બાબતને લઇને કોઇ અસર થતી નથી કે બીજા લોકો શુ કહેશે. તેની લવ લાઇફને લઇને અફવા ફેલાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જ્યારે અંકિતાને સુશાંત સિંહ રાજપુતના સંબંધમાં બ્રેક અપ અંગે પુછવામાં આવ્યુ ત્યારે અંકિતાએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેના પર તે પહેલા પણ કઇ કહેવા માટે તૈયાર ન હતી અને હવે પણ કહેવા માટે તૈયાર નથી.

જો કે એક્સ મિત્ર તરીકે તેને રાખવામાં કોઇ વાંધો નથી. અંકિતા કહે છે કે આજે પણ તેની લાઇફમાં પ્રેમની પોતાની ખાસ જગ્યા છે. પરંતુ તે હાલમાં સિંગલ રહીને જ ખુશ છે. અંકિતા જ નહી બલ્કે ટીવી સિરિયલની અન્ય અભિનેત્રીઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે. બોલિવુડમા પ્રવેશ કરવાના શાનદાર મંચ તરીકે ટીવી સિરિયલને ગણવામાં આવે છે. નાગિનમાં યાદગાર રોલ કર્યા બાદ હવે મૌની રોય બોલિવુડમાં ટોપ સ્ટારમાં એન્ટ્રી કરી ચુકી છે. તેની ગોલ્ડ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હાલમાં તેની પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ છે. અંકિતા કહે છે કે તે કેમેરાને ફેસ કરવામાં ખુબ ગર્વ અનુભવ કરે છે.

તેનુ એમ પણ કહેવુ છે કે તે એક દિવસ લગ્ન કરીને ચોક્કસપણે હાઉસવાઇફ બનવાનુ પસંદ કરશે. પરંતુ તેને અસલી ખુશી કામ કરવાથી મળી રહી છે. તેને પોતાના માતા પિતાની પસંદગીના યુવકની સાથે લગ્ન કરવામાં પણ કોઇ વાંધો નથી. તમામ લોકો જાણે છે કે તે સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખ લા જામાં પણ ભાગ લઇ ચુકી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *