મુંબઇ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૭૫ પોઇન્ટ ઘટીને ૩૫૨૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો જાવા મળ્યો હતો તેમાં ૨.૮ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ટીસીએસ અને ઇન્ફોસીસના શેરમાં ક્રમશઃ ૩.૫ ટકા અને ૩.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. ચાવીરુપ શેરમાં ડો. રેડ્ડી લેબના શેરમાં ૬.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે ડીએચએફએલના શેરમાં ૪.૩ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી ક્રમશઃ ૧૪૯૯૧ અને ૧૪૪૧૪ની સપાટીએ રહ્યો હતો.
એશિયન શેરબજારમાં મંદી રહી હતી. તેલ કિંમતોમાં આજે ફરી એકવાર ઉછાળો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧.૦૭ ડોલર પ્રતિબેરલ વધીને ૬૩.૬૦ની સપાટીએ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનામાં કરવામાં આવેલા કુલ રોકાણ પૈકી ઇક્વિટીમાં પી નોટ્સનો હિસ્સો ૫૦૫૮૪ કરોડનો હતો જ્યારે બાકીનો હિસ્સો ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં હતો. પી-નોટ્સ મારફતે એફપીઆઈ રોકાણનું કદ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૨.૨ ટકા સુધી થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૫ ટકાનો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં જંગી નાણાં પરત ખેંચી લીધા બાદ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૮૨૮૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની Âસ્થતિમાં ઉલ્લેખનીય સુધારો થયા બાદ એફપીઆઈ દ્વારા નવેમ્બર મહિનામાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. તેલ કિંમતો નરમ થતાં તેની અસર એફપીઆઈ કારોબારીઓ ઉપર જાવા મળી છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. શેરબજારમાં ગઇકાલે સતત બીજા દિવસે મંદીનો માહોલ જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૩૧ શેરો પર આધારિત સેંસેક્સ ૩૦૦.૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૪૭૪.૫૧ બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ ઇન્ડેક્સ આંક ૧૦૭ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો હતો તેની સપાટી ૧૦૬૫૬ રહી હતી. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી રહેવાન શક્યતા છે. કારણ કે કારોબારી પ્રવાહી સ્થિતીમાં રોકાણ કરવા માટે સજ્જ નથી. જુદા જુદા પરિબળો પર હાલમાં તમામની નજર છે.