શેમારૂમી એક ભાવનાત્મક અને હૃદયસ્પર્શી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’નું પ્રીમિયર કરવા માટે તૈયાર છે. આ ફિલ્મની મુખ્ય વાર્તા બીજી તક વિશે છે—ભૂતકાળને ફરી જીવવાની, પોતાના સ્વજનો સાથે ફરી જોડાવાની, જે કહેવાનું રહી ગયું હતું તે કહી દેવાની અને જે ક્ષણોને આપણે ભૂતકાળમાં પસાર થવા દીધી હતી તેને ફરી જીવી લેવાની તક. આ એક એવા પિતાની પણ વાર્તા છે, જેમની પાસે હંમેશા મજબૂત રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેઓ અવારનવાર પોતાની લાગણીઓ પોતાના સુધી જ સીમિત રાખે છે અને ચુપચાપ પોતાના પરિવારને પ્રથમ સ્થાને રાખે છે. ‘જિંદગી વન્સ મોર’ પિતૃત્વની આ અણસ્પર્શી બાજુને જીવંત કરે છે, જે પિતાની શાંત શક્તિ પાછળ છુપાયેલી લાગણીઓ, ત્યાગ અને અણકહેલી વાતોને સામે લાવે છે.
આ વાર્તા આપણે જે ભૂમિકાઓ અને સંબંધોના આદિ થઈ ગયા છીએ તેની પાર જોઈને, તે સંબંધો પાછળ રહેલા માણસને શોધવા વિશે છે. જ્યારે દીકરો તેના પિતાના જીવનના અજાણ્યા પ્રકરણો ઉકેલવાનું શરૂ કરે છે, ત્યારે ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે દરેક પરિવારમાં એવી વાર્તાઓ, મિત્રતા અને અનુભવો હોય છે જે પેઢીઓ સુધી છુપાયેલા રહી શકે છે. આ કથા ભાવના, હૂંફ અને એ વિચારને એકસાથે લાવે છે કે ક્યારેક આપણે જે નાયકોને બહાર શોધીએ છીએ, તેઓ પહેલેથી જ આપણા ઘરમાં હાજર હોય છે.
ધર્મા પ્રોડક્શન્સના ગુજરાતી સિનેમામાં પ્રથમ સાહસ તરીકે, ‘જિંદગી વન્સ મોર’ એક દિલચસ્પ કૌટુંબિક ડ્રામા છે. આ ફિલ્મ વાર્તાકાર ફિલ્મ્સ દ્વારા નિર્માણ કરવામાં આવી છે, જેમાં વસુ ધોળકિયાએ પ્રોડ્યુસર તરીકે સેવા આપી છે. નોંધનીય છે કે, કરણ જોહરનું બેનર ધર્મા પ્રોડક્શન્સ આ ફિલ્મમાં પ્રેઝન્ટર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે જોડાયું છે, જે સ્ટુડિયો માટે પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં પ્રવેશવાનો એક ઐતિહાસિક પ્રસંગ છે.
ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં હોય તેવી આ ફિલ્મ ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને હવે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી શેમારૂમી પર સ્ટ્રીમ થવાનું શરૂ થશે.
પિતાની ભૂમિકા ભજવી રહેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, “એવા પિતાની ભૂમિકા ભજવવી જે પોતાની અંદર ઘણું બધું સભરીને રાખે છે પણ બહાર બહુ ઓછું દર્શાવે છે, તે મારા માટે ખૂબ જ સ્પર્શી જાય તેવો અનુભવ હતો. પિતાને અવારનવાર પરિવારમાં એક શાંત અને મજબૂત વ્યક્તિ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે મૌન પાછળ શું છુપાયેલું છે તે આપણને ભાગ્યે જ જોવા મળે

