અમદાવાદ: રાંચરડા ખાતે આવેલ શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ ૨૩ ઓગસ્ટ, રવિવારના રોજ ભક્તિ અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો. પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનનો લાભ લીધો હતો.
૨૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ નીબ કરૌરી બાબાના આશીર્વાદથી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેની સ્મૃતિમાં યોજાયેલા દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સાંજે ૩:૩૦ કલાકે હવન, ૫:૩૦ કલાકે સુંદરકાંડ પાઠ, ૭:૧૫ કલાકે રામ નામ કીર્તન તથા ૭:૩૦ કલાકે મહા આરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરના સંસ્થાપક ડો. પ્રવિણ ગર્ગના માર્ગદર્શન હેઠળ મંદિર દ્વારા સતત ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મંદિરના ત્રણ રામ રોટી સેવા રથ દ્વારા નિયમિત રીતે આશરે ૫૦૦ જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર રવિવારે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવે છે.
પાટોત્સવ નિમિત્તે R.J. Trivedi વૃદ્ધાશ્રમના ૫૦ વૃદ્ધજનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વૃદ્ધજનોને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનાવી તેમને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
મંદિર દ્વારા ધાર્મિક આસ્થા સાથે સેવાકીય પ્રવૃત્તિઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેના કારણે રાંચરડા ખાતેનું આ મંદિર ધીમે ધીમે ભક્તો માટે શ્રદ્ધા, આસ્થા અને માનવસેવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.

