કેન્દ્ર સરકારે ચીન અને અન્ય છ દેશોના મુસાફરો માટે મુસાફરીના નિયમો બદલ્યા

દેશમાં કોરોનાના ઘટતા કેસોની વચ્ચે, કેન્દ્ર સરકારે ચીન અને અન્ય છ દેશોના મુસાફરો માટે મુસાફરીના નિયમો હળવા કર્યા છે. જો કે, ભારતમાં આવતા ૨ ટકા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ હાલ પૂરતું ચાલુ રહેશે. આરોગ્ય મંત્રાલયે ચાઇના, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને હોંગકોંગ થી આંતરરાષ્ટ્રીય આગમન માટે ‘આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકા’ અપડેટ કરી મુસાફરો માટે પ્રી-ડિપાર્ચર કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા અને સ્વ-સ્વાસ્થ્ય ઘોષણા અપલોડ કરવાની હાલની જરૂરિયાતો દૂર કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખેલા પત્રમાં, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા ૪ અઠવાડિયામાં જોવામાં આવે છે, આ દેશોમાં કોવિડ -૧૯ કેસની ગતિમાં સતત અને નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.

વધુમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા ના કોવિડ-૧૯ પરના નવીનતમ પરિસ્થિતિગત અપડેટ અનુસાર, છેલ્લા ૨૮ દિવસમાં વૈશ્વિક સ્તરે નવા પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં ૮૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કેમ લેવાયો ર્નિણય? તે જાણો.. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ દરમિયાન, ભારતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેમાં દરરોજ ૧૦૦ થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે. મંત્રાલય આંતરરાષ્ટ્રીય આગમન માટે તેની માર્ગદર્શિકા અપડેટ કરી રહ્યું છે.

કોવિડ-૧૯ પરીક્ષણ ચીન, સિંગાપોર, હોંગકોંગ, રિપબ્લિક ઓફ કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ‘એર સુવિધા’ પોર્ટલ પર સ્વ-સ્વાસ્થ્ય ઘોષણા અપલોડ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં કહ્યું છે કે, ‘ભારત આવતાં જ ૨ ટકા મુસાફરોના રેન્ડમ ટેસ્ટિંગની કવાયત ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં SARS-CoV -૨ના પરિવર્તિત વેરિએન્ટને કારણે ચેપ પર ધ્યાન રાખવા માટે ચાલુ રહેશે.’ તમને જણાવી દઈએ કે આ નવી સિસ્ટમ ૧૩ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યાથી અમલમાં આવશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *