ભારતીય સંસ્કૃતિ મુજબ વિદેશમાં હિન્દુ મંદિર અને જૈન દેરાસરની નિર્માણ થવા જોઇએ – રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા

150 કરોડના ખર્ચે જૈન સમાજના ચારે ફિરકાનું જૈન દેરાસરનું નિર્માણ વોશિગ્ટન,USA નિર્માણ થઇ રહ્યુ છે. આવનારા એકજ વર્ષમાં નિર્માણ કાર્ય પુરુ થશે. – પીયુશ જૈન ટ્રસ્ટી JSMW
આ નિર્માણ કાર્યમાં વાપરાવામાં આવતા પથ્થર દુનિયાના સૌથી શ્રેષ્ઠ કહેવાતાં મકરાણા મારબલ ભારતથી યુએસએ જશે.અને દેરાસરની 24 પ્રતિમાઓ અહી બનીને ત્યાં સ્થાપના કરવામાં આવશે.- કુશલભાઇ ભણસાલી.- જૈન ટ્રસ્ર્ટી JSMW
જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિગ્ટન,USA સંઘના આંગણે નવનિર્મિત ,શિલ્પયુકત શિખરબધ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત માટે 29/05/2022 ના રોજ ગુજરાત પુનિવર્સિટી ખાતે ભારતભરના શ્રેષ્ઠીઓ અને USA ના ટ્રસ્ટ્રીઓનું મિલન કાર્યક્રમમાં આચાર્ય ,રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા નિશ્રામાં યોજાશે .

JSMW પ્રવકતા રીતેશ શાહે જણાવ્યુ કે રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ વિશ્વમાં હિન્દુ , જૈન ,બૌધ્ધ સંસ્કૃતિનાં મંદિર, દેરાસરનું નિર્માણ થવુ જોઇએ અને આવનારી પેઢી ભારતીય સંસ્કૃતિને ઓળખ બનાવી રાખવા મંદિર અને મૂર્તિઓ જરુરી છે. જૈન સમાજ 150 કરોડના ખર્ચે ચારે ફિરકાઓ મળીને વોશિગ્ટન ડી.સી.માં 30,000 ચોરસ ફુટમાં જૈન સેન્ટરનુ નિર્માણ કરવા થઇ રહ્યુ છે.આ સેન્ટરમાં શ્વેતાંમ્બર, દિગમ્બર,સ્થાનકવાસી અને તેરાપંથીનું ભગવાનની મૂર્તિ સ્થાપીત થશે.જેનુ નિર્માણ અહી ભારતના સંગેમરમર મકરાણા મારબલમા બનશે. આ જૈન સેન્ટરમાં કલાસરુમ, લાયબ્રેરી, મલ્ટીપર્પસ હોલ અને ભારતીય વિધાર્થીઓ જે વિદેશમાં ભણવા જાય છે. તેમના માટે પણ અહી સુવિધા ઊભી કરી રહ્યા છે.આ સાથે હેમલભાઇ શાહ જણાવે છે કે વિદેશમાં 45 થી વધુ જૈન શિખરબંધી દેરાસરો 21 દેશોમાં આવેલા છે જય જીનેન્દ્ર

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *