રાજકુમાર રાવ સાથે ફિલ્મ મળતા નુસરત આશાવાદી

News KhabarPatri
1 Min Read

પ્યાર કા પંચનામા સિરિઝની ફિલ્મો માટે લોકપ્રિય રહેલી અભિનેત્રી નુસરત ભરૂચા બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી છે. તેની પાસે હાલમાં બે ફિલ્મો રહેલી છે. જેમાં છલાંગ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે નજરે પડનાર છે. આ ફિલ્મ અજય દેવગન દ્વારા બનાવવામાં આવી રહી છે. ફિલ્મ ૩૧મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં  આવનાર છે. તેની કેરિયરને લઇને તે આશાવાદી બનેલી છે. બ્રોમાંસ વર્સલ રોમાંસની ખાસ થીમ પર આધારિત તૈયાર કરવામાં આવેલી ફિલ્મ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવવામાં સફળ રહી હતી.

વારંવાર આ ટીમની સાથે કામ કરવા માટેના કોઇ ખાસ કારણ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નુસરતે કહ્યુ હતુ કે આના માટેના કોઇ ખાસ કારણ નથી. તેનુ કહેવુ છે કે આ નિર્માતા નિર્દેશકો કરતા તેને વધારે સારુ કામ અન્ય કોઇ આપી રહ્યુ નથી. લવ અને કાર્તિક સાથે તેની ચોથી ફિલ્મ કર્યા બાદ તેમની સાથે વધુ ફિલ્મ કરવા માટે તે ઉત્સુક છે. આ ટીમ સાથે કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તે એક્ટિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકી છે. તેનુ કહેવુ છે કે સંઘર્ષના દિવસો હજુ પૂર્ણ થયા નથી.

Share This Article