તેની સાથે કોઇ શોષણ ક્યારે થયુ નથી : અંકિતાનો ધડાકો

2 Min Read

મુંબઇ : બોલિવુડમાં અનેક મોટી અને નવી અભિનેત્રી જાતિય શોષણનો શિકાર થઇ રહી છે. હવે નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. તનુશ્રીએ સૌથી પહેલા આ અંગે જાહેરમાં નિવેદન કરીને ચર્ચા છેડી દીધા બાદ હવે  અંકિતાએ પણ આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનુ કહેવુ છે કે તે ક્યારેય કોઇ શોષણનો શિકાર થઇ નથી.  બોલિવુડના કેટલાક કલાકારો આ અભિયાનને જારી રાખવા માટે ઇચ્છુક છે. જેથી આ મામલે સ્પષ્ટ વાત કરી રહ્યા છે. હાલમાં  અંકિતાએ કહ્યુ હતુ કે તેની સાથે કોઇ પણ પ્રકારનુ શોષણ થયુ નથી. જો કે અંકિતાએ કહ્યુ હતુ કે તે એવી યુવતિઓની પ્રશંસા કરે છે જે પોતાની સાથે થયેલા વર્તનને જાહેરમાં રજૂ કરે છે. હિંમતપૂર્વક સપાટી પર બાબતોને લાવે છે.

અંકિતાએ કહ્યુ હતુ કે તે ક્યારેય કોઇના દ્વારા શોષણનો શિકાર થઇ નથી. તે નક્કરપણે માને છે કે આ તમામ બાબતો મોટા ભાગે પોતાના પર પણ આધારિત હોય છે. પોતાને કોઇની સામે કઇ રીતે તમે રજૂ કરો છો તે બાબત પણ ઉપયોગી હોય છે. તેનુ કહેવુ છે કે તે એવી તમામ યવતિઓની સાથે ઉભી છે જે શોષણનો શિકાર થઇ ચુકી છે. તે આ બાબતને સ્વીકાર કરી શકતી નથી. છતાં જે પણ વાંચી રહી છે તે દુખદ છે. તેનુ કહેવ છે કે સાહસ સાથે તમામ બાબતોને સપાટી પર લાવનાર  યુવતિઓથી તે પ્રભાવિત રહી છે.

અનેક ટીવી સ્ટારની જેમ અંકિતા પણ બોલિવુડમાં પ્રવેશ કરી ચુકી છે. કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મ બાદ હવે તે નવી કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જા કે તે વર્ક ફ્રન્ટના મામલે કોઇ વાત કરી રહી નથી. મૌની રોય બાદ તે પણ તેની જેમ જ સફળતા મેળવી લેવા માટે આશાવાદી છે. કંગના રાણાવત બોલિવુડ ફિલ્મમાં કેરિયર બનાવવા માટે ખુબ આશાવાદી દેખાઇ રહી છે. ટીવી સિરિયલ પણ કરવા ઇચ્છુક છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *