શિવપાલે સમાજવાદી પાર્ટી સાથે અંતે છેડો ફાડી લીધો

News KhabarPatri
2 Min Read

લખનૌ: લાંબા સમયથી સમાજવાદી પાર્ટી દ્વારા નજરઅંદાજનો સામનો કરી રહેલા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે હવે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે અને સમાજવાદી પાર્ટી સેક્યુલરની રચના કરી છે. શિવપાલે કહ્યુ છે કે સમાજવાદી પાર્ટીમાં ઉપેક્ષિત લોકોને આ મોરચામાં સામેલ થવા માટે અપીલ કરશે. મુલાયમ સિંહ પણ જાડાશે તેવો દાવો પણ કર્યો હતો. તમામ નાના પક્ષોને સાથે લઇને ચાલવાની પણ શિવપાલે વાત કરી છે. છેલ્લા દોઢ વર્ષથી શિવપાલ યાદવ પાસે કોઇ પણ પ્રકારની જવાબદારી ન હતી.

શિવપાલે રવિવારના દિવસે પોતાની બહેન પાસેથી રાખડી બંધાવી લીધા બાદ સંકેત આપ્યો હતો કે કે તેમને પાર્ટીમાં કોઇ જવાબદારી મળી રહી નથી. તેમણે કહ્યુ હતુ કે ઇન્તજાર દોઢ વર્ષથી તેઓકરી રહ્યા છે. ગયા વર્ષ જ્યારે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારની બેઠક મળી ત્યારે એમ માનવામાં આવી રહ્યુ હતુ કરે તેમને મહાસચિવ બનાવવામાં આવી શકે છે. જા કે બીજા ભાઇ પ્રોફેસર રામગોપાલ યાદવને મહાસચિવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના કારણે પહેલા તેઓ નિરાશ હતા અને હવે હતાશ થઇ ચુક્યા છે.

શિવપાલ છેલ્લા દોઢ વર્ષથી માત્ર જિલ્લામાં જનસંપર્ક કાર્યોમાં લાગેલા હતા. તેઓ ક્ષેત્રની સમસ્યાઓને લઇને પણ પત્રો લખી રહ્યા છે. સમાજવાદી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ જારી રહી છે. આગામી દિવસોમાં આ ખેંચતાણ વધારે તીવ્ર બની શકે છે. શિવપાલ યાદવ હાલમાં પહેલા કરતા ઓછા સક્રિય દેખાઇ રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *