વર્ષ ૨૦૦૦ બાદ મોનસુન સત્રમાં સૌથી વધુ કામ થયુ

News KhabarPatri
2 Min Read

નવી દિલ્હી: તેલુગુ દેશમ પાર્ટી સરકાર દ્વારા સરકારની સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવની સાથે મોનસુન સત્રની તોફાની શરૂઆત થઇ હતી. જો કે મોનસુન સત્ર કામની દ્રષ્ટિએ આ વખતે ખુબ ફળદાયી રહ્યુ છે. વર્ષ ૨૦૦૦ બાદથી આ વખતે સૌથી વધુ કામ આ સત્રમાં થયુ છે.

શુક્રવારના દિવસે સંસદનુ મોનસુન સત્ર પૂર્ણ થયુ હતુ. આ સત્ર દરમિયાન આ વખતે ખુબ સારી કામગીરી થતા સામાન્ય લોકોને પણ રાહત થઇ છે. મોટા ભાગે સંસદના સત્ર તોફાની ધાંધલ ધમાલના કારણે ધોવાઇ જાય છે. જો કે કે આ વખતે મોનસુન સત્રમાં સારુ કામ થયુ છે. જેના કારણે તમામ સાંસદ પણ પ્રશંસાપાત્ર છે. આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે આ સત્રમાં ૨૦ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૮ પાસ થઇ ગયા છે. લોકસભામાં નિર્ધારિત કરવામાં આવેલા સમય કરતા ૧૦ ટકા કરતા વધારે કામ થયુ છે. રાજ્યસભામાં ૬૬ ટકા કામ થયુછે. લોકસભામાં ૫૦ ટકા અને રાજ્યસભામાં ૪૮ ટકા સમય કાયદાકીય નિર્માણમાં ગયો છે.

આ વર્તમાન સરકાર દ્વારા આપવામાં આવેલો સૌથી વધારે સમય છે. પછાત માટે રાષ્ટ્રીય પંચની રચના કરવાને પણ મંજુરી મળી છે. એસસી-એસટી એક્ટ હેઠળ તરત જ ધરપકડને કાયદો બનાવવા સાથે સંબંધિત બાબત શાસક પક્ષ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સત્રમાં આશરે ૨૬ ટકા સંસદીય સમિતિઓને મોકલી દેવામાં આવ્યા છે. ૧૫મી લોકસભામાં આ આંકડો ૭૧ ટકાનો રહ્યો હતો. આઠ કલાકના સમય બગાડને પહોંચી વળવા માટે પણ કેટલાક પગલા લેવામાં આવ્યા હતા. લોકસભામાં આના માટે ૨૦ કલાક સુધી કાર્યવાહી ચાલી હતી. આ સરકાર માટે આ સત્ર પ્રશ્નવકાળની દ્રષ્ટિએ પણ ઉપયોગી રહ્યુ છે. પ્રશ્નકાળના સમયમાં લોકસભામાં ૮૪ ટકા અને રાજ્યસભામાં ૭૮ ટકા કામ થયુ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *