ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાના વંચિત વિદ્યાર્થીઓને  શૈક્ષણિક સામગ્રીના વિતરણ કરવામાં આવ્યું.

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સેક્ટર -૩૦ની સરકારી પ્રાથમિક શાળાના વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીના વિતરણનો  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

udgam 4

કાર્યક્રમની શરૂઆતમાં ઉદગમના શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકારીને ઉદગમ ટ્રસ્ટ દ્વારાના કાર્યોની માહિતી આપતા વિશેષ વિવિધ સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ, માનસિક અને શારીરિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોની માહિતી આપી હતી. કાર્યક્રમના મહેમાન પદે પધારેલ ગાંધીનગરના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલે ઉદગમના સેવાકાર્યોને બિરદાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણને પાયાની જરૂરીયાત માનીને ખુબ કામ કરવામાં આવી રહ્યું છે તે સારું ગાંધીનગર મહાનગર પાલિકા સંપૂર્ણ સહયોગ આપશે. અતિથિ વિશેષ પદે ગાંધીનગર મહાનગર પાલિકાના પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, વોર્ડ ન. ૫ના નગરસેવક પદમસિંહ ચૌહાણ, કૈલાસબેન સુતરીયા, ભાજપ વોર્ડ પ્રમુખ ધવલભાઈ શાહ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ અને લાભુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેલ હતા. સર્વે મહાનુભાવોના હસ્તે શાળાના વંચિત બાળકોને અભ્યાસ સારું  ફુલ સ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફુટપટ્ટીની કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ તથા ઉદગમ ટ્રસ્ટમાં ઇન્ટર્નશિપ કરનાર વિધાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

અંતે સંજયભાઈ થોરાતે બાળકોને સુંદર મજાની વાર્તા કહીને મોજ કારવાઈ દીધી હતી અને ત્યારબાદદ બાળકોને જ્યૂસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ ટ્રસ્ટના ચાણક્ય જોષી જયપ્રકાશ ભટ્ટ, મનોજભાઈ જોષી, દિક્ષિતાબેન જોષી, કુસુમબેન જોષી, વાગ્મી, કિરાત, વેદ, નિરાલી, તેજસ, રિશી, જય, ક્રિશ, કેવલ, અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કુમુદબેન ત્રિવેદી અને શિક્ષકગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.

Share This Article