વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે લોકોને દેશના આ અદ્ભુત ટાપુની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરતા પણ જાેવા મળ્યા હતા. તેમની અપીલ માલદીવના કેટલાક મંત્રીઓને પરેશાન કરી અને તેઓએ ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. ટાટા ગ્રૂપની હોટેલ સેક્ટર ઈન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) એ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં સુહેલી અને કદમત ટાપુઓ પર બે તાજ-બ્રાન્ડેડ રિસોર્ટ માટે સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ રિસોર્ટ ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે. રાજસ્થાન, કેરળ, ગોવા અને અંદમાન જેવા સ્થળોની લોકપ્રિયતામાં સફળતાપૂર્વક યોગદાન આપ્યા બાદ કંપની હવે પ્રવાસીઓને એક અનોખો અને પર્યાવરણ પ્રત્યે લોકોને જાગરુત કરવાનો અનુભવ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે.. કંપનીએ આ વ્યૂહાત્મક પગલું લક્ષદ્વીપને ભારતીય પ્રવાસીઓ માટે પ્રીમિયર હોલિડે ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા માટે લીધું છે. ખાસ કરીને આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ખાસ કરીને ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. તાજ સુહેલીમાં ૬૦ બીચ વિલા અને ૫૦ વોટર વિલા સહિત ૧૧૦ રૂમ હશે. જ્યારે તાજ કદમતમાં ૧૧૦ રૂમ હશે, જેમાં ૭૫ બીચ વિલા અને ૩૫ વોટર વિલાનો સમાવેશ થાય છે. કદમત ટાપુ, જેને એલચી દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વિશાળ લગૂન ધરાવતું મૂંગા ટાપુ છે અને દરિયાઈ કાચબાને માળો બાંધવા માટે મહત્વપૂર્ણ દરિયાઈ સંરક્ષિત વિસ્તાર ધરાવે છે. લક્ષદ્વીપ ઉપરાંત,IHCL ઉત્તર પ્રદેશના દુધવામાં સિલેકશન હોટેલ જાગીર મનોર સાથે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. બગીચાઓ અને જંગલોની વચ્ચે આવેલી આ ૨૦ રૂમની હોટલમાં ૧૯૪૦ના હેરિટેજ રૂમ અને વૈભવી વિલાનો સમાવેશ થાય છે. આ વૈવિધ્યકરણ સમગ્ર દેશમાં વૈવિધ્યસભર અને સમૃદ્ધ હોસ્પિટાલિટી અનુભવો આપવા માટે IHCL ચાલુ પ્રયાસોનું પ્રતીક છે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં દિવ્યાંગો,૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને વાહનની સુવિધા મળશે
સુવિધા માટે ૦૭૯૨૯૦૯૩૩૭૪/૦૭૯૨૩૨૫૯૦૭૪ નંબર જાહેર કરાયો ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૦૭,મેના રોજ મતદાન થશે. આ અવસરે ગાંધીનગર ઉત્તર...
Read more