• Latest
  • Trending

માનસ રામકથા- જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ. અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.

4 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

માનસ રામકથા- જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ. અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.

KhabarPatri News by KhabarPatri News
March 22, 2022
in ગુજરાત, વિશેષ
0

જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ.
અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.
રામનામ એ વસ્ત્ર છે.ભાષાપ્રભાવ એ અલંકાર છે.
રામકથા મંગલકરનિ છે.રામકથા કળિયુગની કામદુર્ગા ગાય છે.
જે વસ્તુમાં રસ પડે એ ભજન સમજજો
.

ચોથા દિવસની કથામાં બાપુએ જણાવ્યું કે પહેલા કહેવાયું એમ આખા રામચરિતમાનસમાં રામકથા શબ્દ ૨૭ વખત આવ્યો છે.મંગલાચરણમાં તુલસિ રઘુનાથગાથા-શબ્દ છે પણ સ્પષ્ટ રામકથા શબ્દનો આરંભ બાલકાંડની ચોપાઇથી થયો છે.રામકથા જગમંગલકરનિ એવું લખાયું છે.અહીં ભનિતિ એટલે કવિતા.તુલસિજી કહે છે કે મારી કવિતા ભદ્દી-ભષાની રીતે કદાચ ખાસ નહિ એવી છે.પોતાની કવિતામાં કંઇ નથી એવું કોઇ સર્જક-કવિ છડેચોક કહે,આવી જેની તૈયારી હોય એ જવિશ્વમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત તરે છે.પણ,તુલસિજી કહે છે કેએમાં જે વસ્તુ છે એ કલ્યાણકારી છે.આથી રામકથા જગમંગલિ છે.મહાકવિ જાયસીએ ચોપાઇ છંદની શરુઆત કરેલી એવું કહેવાય છે.સંતને પાંચ,હનુમંતને છ અને ભગવંત-રામને અયોધ્યાથી સિતા સુધી પહોંચવામાં સાત વિધ્નો આવ્યા છે.સંતને માર્ગે,હનુમંતને સેવવા માટે કે ભગવંતને મેળવવા હશે તો વિધ્વોની તૈયારી રાખવી પડશે.પણ એમને સેવ્યા હશે તો વિધ્નો ખાસ પ્રભાવ પાડી શકશે નહિ. ક્યા ગરમી,ક્યા શરદી જિસને પહન લી ક્રાઇસ્ટ કી વરદી!

જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ.રામાયણમાં અમુક રાજા તપસ્વી છે:સબ પર રામ તપસ્વી રાજા.તાપસ બેસ વિશેષ ઉદાસી,તો દશરથ,જનક,પ્રતાપભાનુ,સત્યકેતુ જેવા યશસ્વી રાજાઓ પણ છે અને રાવણ વાલી જેવા રાજાઓ મનસ્વી .તપસ્યા,તેજસ્વિતા,યશ છતા મનસ્વી ન હોય એ જ જગતમાં પૂજનીય છે. હનુમાનજી સિતાખોજ માટે લંકા ગયા,રાવણની સામે ઘણું લાંબુ પ્રવચન કર્યું,રાવણે કહ્યું કે હે વાનર વાક્છટાથી લાગે છે તું વિદ્વાન છો,એ પછી રાવણે પણ હનુમાનની સામે પોતાનું વિદ્વતાભર્યું પ્રવચન કર્યું ને અંતે પૂછ્યું કે કેવું લાગ્યું મારું પ્રવચન?એક-એક અલંકાર ઉતાર્યા,જાણે ગદ્યમાં પદ્ય ઉતાર્યું.હનુમાનજી કહે બહુ સરસ.રાવણ કહે તો દાદ કેમ ન આપી?કેમ ચમક જોવા ન મળી ચહેરા પર?તું તો તદરદાન ને મૂલ્યાંકન કરી શકે એવો છે!ત્યારે હનુમાનજીએ કહ્યું કે:રાવણ!નારી ગમે એટલા અલંકાર પહેરે પણ વસ્ત્ર ન પહેરે તો સુંદર ન લાગે.અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.તારી વાણીમાં નગ્નતા છે.રામનામ એ વસ્ત્ર છે.ભાષાપ્રભાવ એ અલંકાર છે.આથી મેં દાદ નથી આપી.આમ બાલકાંડની ચોપાઇથી ખરા અર્થમાં રામકથા શબ્દની શરુઆત થઇ છે.રામકથા જગમંગલકરનિ છે.જ્યાં-જ્યાં મમગલ શબ્દ છે ત્યાં શુભ તત્વો જોડાયેલા છે એ રામકથાથી આપણા જીવનમાં આવે જ.ઘરમાં રામકથા હોય તો ઘર મંગલકારી થાય.યાત્રામાં રામકથાનો ગુટકો સાથે હોય તો યાત્રા મંગલકારી થાય,કુબેર સાથે ચાલતો હોય એવું લાગે.જેની પાસે રામકથા હશે એને ક્યારેક ને ક્યારેક મંગલમૂરતિ મળશે જ.જે વસ્તુમાં રસ પડે એ ભજન સમજજો.કારણ કે ભજન સ્વયં રસ છે.માળા ફેરવતાં રસ પડે,કવિતા લખતા,પિરસતા રસ પડે,કથા સાંભળવામાં કે કથા કહેવામાં..જ્યાં પણ રસ પડે એ ભજન છે.


તુલસિ કહે મારી કવિતાની ગતિ આડાઅવળી છે પણ ગંગાપ્રવાહ જેવી છે એટલે પવિત્ર છે.જે મારી વાણીને પવિત્ર તરે છે.મહાભારતનાં કર્ણમાં ધર્મરથનાં બધા જ લક્ષણો હતા પણ સારથિ ખોટો પસંદ કરેલો.રામકથા-ભગવદકથા કેવળ લોકરંજન નથી પણ જનરંજનિ છે.જન એટલે સેવક,દાસ,ભક્ત,હરિદાસ,વૈષ્ણવ,પરમાત્માને ભજે છે એ. રામકથા મંગલકરનિ છે.રામકથા કળિયુગની કામદુર્ગા ગાય છે. કથામાં સ્થાનિક અને જાણિતા કલાકાકોની સાથે રાસની રમઝટ તથા મીઠાનાં રણમાં વાગ્યો છે ઢોલ જેવા ગીતો દ્વારા સમિયાણાને નાચતો કરીને આજની કથાને વિરામ અપાયો. બાપુએ ધોળાવિરાથી સનાતનધર્મ માટેના ગામેગામ મંદિર માટેની બ્લૂપ્રિન્ટ સાથે સવાલાખ રૂપિયા આપી અનોખા અભિયાનની કરી પહેલ

ધોળાવિરાની કથામાં બાપુએ આજે એક અનોખી બ્લૂપ્રિન્ટ,મનમાં ચાલતી વાતની ઘોષણા કરી.બાપુએ જણાવ્યું કે એક આદર્શ ગામ હોય ત્યાં પંચદેવમાંથી કોઇ એક કે પામચેય દેવમંદિર હોય એ શિવમંદિર,રામમંદિર,રાધા-કૃષ્ણમંદિર,દુર્ગામંદિર હોય.વહેતી નદી હોય,એક સારી શાળા હોય,એક આદર્શ શિક્ષક હોય,એક બ્રહ્મવિદ બ્રાહ્મણ હોય-જે વર્ણભેદ વગર બધાનો સ્વિકાર કરતો હોય,એક કથાકાર હોય,એક શીલવંત સાધુ હોય,એક આડાઅવળું ન કરતો હોય એવો તલાટી મંત્રી હોય,સમરસ સરપંચ હોય.


બાપુએ જણાવ્યું કે હું અહી પણ દર્શન તરવા ગયો મારા મનમાં એક સ્પષ્ટ બ્લૂપ્રિન્ટ છે.મંદિર એક સ્ટાન્ડર્ડ-અમારે મહુવા ગુરુકૂળમાં સરસ્વતીજીનું મંદિર છે એવડું,નાનકડું જ.એ ૧૨-૨૫ લાખમાં થઇ જાય અને સનાતન ધર્મ માટે ગામે-ગામ એ જરુરી છે.હું જ્યાં પણ ગામડે કથા કરીશ ત્યાં આવું મંદિર નહિ હોય તો ગામ,યજમાન વગેરે સૌ સાથે મળી બનાવશું.આજે ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી સવાલાખ રુપિયા આપીને અહીં આવા મંદિરની નીંવ રાખી રહ્યો છું.યજમાન તન્ના પરિવાર બધાને મળી હવે આગળનું કામ કરશે.આપણે જયપુરથી સુંદર રામલલા કે રાધાકૃષ્ણ કે મહાદેવ કે મા દુર્ગાની દિવ્ય પ્રતિમાઓ લાવશું.આ જરુરી છે દેવમંદિર હોવું જોઇએ,પંચદેવ કે એમાંના કોઇ એક દેવનું મંદિર બનાવવું.

Previous Post

ટિપ્સ મ્યુઝિકની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઇ ગયો’ નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

Next Post

નેત્રી ત્રિવેદીઅને રોનક કામદારના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ‘21મું ટિફિન’

Next Post

નેત્રી ત્રિવેદીઅને રોનક કામદારના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ‘21મું ટિફિન’

વર્લ્ડ વોટર ડેની યાદગીરીમાં કોકા- કોલા આઈએનએસડબ્લ્યુએ દ્વારા જળ ઉપયોગ કાર્યક્ષમતામાં 32.4 ટકાની સુધારણા

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri