• Latest
  • Trending
honey bee working on a cell

કૃષિ મિત્ર મધમાખીનો ઉછેર

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

કૃષિ મિત્ર મધમાખીનો ઉછેર

મધની ખેતી : ખેડૂતો આલેખી રહ્યા છે ખેતીનો એક નવો અધ્યાય

KhabarPatri News by KhabarPatri News
November 26, 2018
in કૃષિ, વિશેષ
0
honey bee working on a cell

honey bee working on a cell

  • ખેડૂતો મધમાખીનો ઉછેર મધનું ઉત્પાદન મેળવવાના મુખ્ય આશય સાથે નહીં પણ મધમાખીઓની મદદથી પાકમાં પરાગનયન વધારીને વધુ અને સારી ગુણવત્તાવાળો પાક મેળવવાના હેતુસર કરે છે
  •  બાગાયત ખાતુ મધમાખીઓની કોલોનીઝ સ્થાપિત કરવા અને કૃત્રિમ મધપુડામાંથી મધ કાઢવાના એક્સટ્રેકટર સહિતના સાધનો વસાવવા સહાય આપે છે
  •  મધ્ય ગુજરાતમાં એપીકલ્ચર-મધમાખીના સફળ ઉછેરની ઉજળી સંભાવનાઓ છે

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના ઢોલાર ગામના બંસીભાઇ, નંદેરીયાના સજીવ ખેતીકાર યોગેશભાઇ પુરોહિત સહિત શિનોર તાલુકાના તેરસા અને ટીંગલોદ જેવા ગામોના ખેડૂતોએ વડોદરા જિલ્લા બાગાયત તંત્રની પ્રેરણા અને પ્રોત્સાહનથી મધમાખીઓની કોલોનીઝ સ્થાપિત કરવાનું નવતર સાહસ, ખેતીના ક્ષેત્રમાં કર્યું છે. મધમાખીની એક કોલોની એટલે કે એક લંબચોરસ પેટી જેમાં આઠ આડી ફ્રેમ્સના રૂપમાં આઠ કૃત્રિમ મધપૂડા પકવી શકાય તેવી વ્યવસ્થા. આ પેટીના નીચેના ભાગે એક કાણું હોય છે જ્યાંથી ઇટાલીયન મધમાખીઓ અવર-જવર કરે છે, ફુલોનો રસ ચૂસીને કૃત્રિમ માળખામાં સાચો મધપૂડો બનાવે છે. બાગાયત ખાતાના જણાવ્યા પ્રમાણે હાલમાં પ્રગતિશીલ ખેડૂતોએ ૫૫ જેટલી કોલોનીઝ સ્થાપિત કરવાનું પ્રાયોગિક સાહસ કર્યું છે. જેને સફળતા મળ્યેથી જિલ્લામાં મધમાખી ઉછેરના એપીકલ્ચરના નવા અધ્યાયની શરૂઆત થશે.

ઢોલારના બંસીભાઇ પટેલ જણાવે છે કે, મધમાખીનો ઉછેર મધનું ઉત્પાદન મેળવવા કરવામાં આવે એવી પ્રચલિત માન્યતા છે. પરંતુ હકિકત એ છે કે મધનું ઉત્પાદનનો આડપેદાશ છે. વાસ્તવમાં મધમાખી ખેડૂત અને ખેતીની મિત્ર છે. મધમાખીઓના ઉછેર અને વિવિધ વનસ્પતિઓના રસ ચૂસવાની તેમની પ્રવૃત્તિથી ફ્લોરી કલ્ચર, હોર્ટી કલ્ચર અને અનાજ પાકોમાં પરાગનયન એટલે કે ફલીનીકરણની પ્રક્રિયા વેગવાન બને છે. જેના લીધે પાકના ઉતારમાં અંદાજે ૩૦ ટકા જેટલો વધારો થાય છે. કુદરતી જીવાત નિયંત્રણ થાય છે અને છોડની તંદુરસ્તી વધે છે. મધના ઉત્પાદનથી પૂરક આવક મળે છે અને પોતાના ખેતરમાં ઉપયોગ પૂરો થતા, આ કોલોનીઝ ભાડે આપીને વધારાની આવક રળી શકાય છે. એટલે કૃષિમિત્ર પ્રયોગના રૂપમાં મધમાખીના ઉછેરમાં ઝંપલાવ્યું છે. જિલ્લાની બાગાયત કચેરીએ આ પ્રયોગને ખૂબ જ પ્રોત્સાહન આપ્યુ છે.

નંદેરીયાના યોગેશ પુરોહિત સન ૨૦૦૮થી ઓર્ગેનીક ખેતી કરે છે. તેઓ જણાવે છે કે, ઓર્ગેનીક ખેતીનો કન્સેપ્ટ  વિશ્વભરમાં વિસ્તરી રહ્યો છે. મધમાખીનો ઉછેર ઓર્ગેનીક ખેતી માટે ખૂબ જ આશિર્વાદરૂપ છે.

વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખેતી મિત્ર મધમાખીના ઉછેરની સંભાવનાઓ ઉજ્જવળ જણાય છે એવી લાગણી વ્યક્ત કરતા પ્રાદેશિક સંયુક્ત બાગાયત નિયામક એસ.એસ.ગાવીતે જણાવ્યું કે, સારા વરસાદ અને નર્મદા આધારીત સિંચાઇ સુવિધાઓને કારણે આપણા વિસ્તારમાં લગભગ બારેમાસ ખેતી પાકો લહેરાય છે. ફ્લોરી કલ્ચર અને બાગાયતનો વિસ્તાર વધી રહ્યો છે. મધમાખીના ઉછેર માટે આ આદર્શ વાતાવરણ ગણાય. મધમાખીઓ દ્વારા પોલીનેશન વધવાથી ફ્રુટીંગ વિપુલ થાય છે એટલે ખેતી માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

નાયબ બાગાયત નિયામક હિમાંશુ પારેખના જણાવ્યા પ્રમાણે ખેતીના વિકાસમાં મધમાખીના ઉછેરની પ્રોત્સાહક ભૂમિકાને જોતાં, બાગાયત ખાતાએ મધમાખી ઉછેર પેટીઓ, મધ કાઢવા માટેના એક્સટ્રેકટર સહિતના સાધનો, બી બ્રીડીંગ ઇત્યાદી માટે સહાયની યોજનાઓ અમલમાં મૂકી છે. એટલે મધમાખી ઉછેર અપનાવવો ખેડૂતો માટે સરળ બન્યો છે.

અર્પિત સેવા સંઘના વિનોદભાઇ નકુમ અને રાજેશ પટેલ મધમાખી ઉછેરનું માર્ગદર્શન અને માળખાકીય સાધન સુવિધાઓ આ ખેડૂતોને ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મધમાખી ઉછેર દ્વારા શુદ્ધ અને અહિંસક મધ મળે છે. મધ કાઢવાની પ્રક્રિયામાં માખીઓ મરતી નથી અને તેમના ઇંડાનું રક્ષણ થાય છે. હિમાચલ પ્રદેશમાં તેમણે સફરજનના ખેતરોમાં મધમાખીઓની કોલોનીઝ સ્થાપિત કરી આપતા, સફરજનના પાકને નવું જીવન મળ્યુ છે. બાગાયત ખાતાના પ્રોત્સાહક અભિગમ અને યોજનાઓનો લાભ લઈને ખેડૂતો મધમાખી ઉછેર તરફ વળે અને પૂરક આવક મેળવવાની સાથે ખેતીને સુધારે એવી તેમની ભલામણ છે. ઇટાલીયન પ્રકારની મધમાખીઓ દેશી-જંગલી મધમાખીઓ જેવી આક્રમક નથી. એટલે થોડી સાવચેતી દાખવીએ તો ડરવાની કોઇ જરૂર નથી.

રાજ્યના નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓના ખેડૂતો મધમાખીના ઉછેરને અપનાવ્યો છે. મધમાખી ખેડૂત મિત્ર છે. પર્યાવરણના પ્રદૂષણને કારણે ખેતી પાકોની ગુણવત્તામાં કસર આવી છે. મધમાખીઓની મદદ લઈને આ કસર પૂરવાનો પ્રયત્ન કરવો હિતાવહ જણાય છે. દરેક જિલ્લાની બાગાયત ખાતાની કચેરીમાં એપીકલ્ચર સહાયક યોજનાઓની જાણકારી અને માર્ગદર્શન મળી શકે છે. હવે ખેડૂતો જાગે અને આ દિશામાં પ્રયોગશીલ બને એ સમયની માંગ છે.

 

Tags: AgricultureBeeFarmHoney
Previous Post

રાજ્યના લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય

Next Post

“સરકતો સમય”

Next Post

"સરકતો સમય"

અન્ડર19 વર્લ્ડ કપ : ભારત વર્લ્ડ ચેમ્પિયન

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri