• Latest
  • Trending

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન માનવતાની સેવામાં 50 વર્ષ પૂર્ણ કર્યા

3 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન માનવતાની સેવામાં 50 વર્ષ પૂર્ણ કર્યા

KhabarPatri News by KhabarPatri News
January 19, 2023
in Ahmedabad, અમદાવાદ, ગુજરાત, વિશેષ
0

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન અમદાવાદ સ્થિત અસારવા સિવિલ હોસ્પિટલ અને નજીકની સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓને સસ્તા દરે રહેવાની અને જમવાની સુવિધા પૂરી પાડે છે. માનવતાની સેવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપે, દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન, શુક્રવાર, 20 જાન્યુઆરી, 2023 ના રોજ તેના અસ્તિત્વના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.

લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજયનગર દ્વારા પ્રાયોજિત દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનનું 1972 માં ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થયું હતું અને 20 જાન્યુઆરી, 1973 ના રોજ તેણે કાર્ય શરૂ કર્યું હતું. ફાઉન્ડેશન પાસે સિવિલ હોસ્પિટલના ગેટ નંબરની 3 સામે ત્રણ બ્લોકમાં 250 થી વધુ રૂમ છે, જેમાં કોઈપણ જાત, સમૂદાય અને ધર્મને ધ્યાનમાં લીધા વગર દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને એકદમ સસ્તા દરે સુવિધા આપવામાં આવે છે. ફાઉન્ડેશન ખુબ સસ્તા દરે આરોગ્યમય ભોજન પણ પૂરું પાડે છે.

વર્ષ 2018 કે જ્યારે સેનોટોરિયમ બિલ્ડિંગનું ઉદઘાટન થયું હતું ત્યારથી તેમાં 15 લાખ લોકોથી વધુ લોકોને માનવતાની સેવા પ્રદાન કરી છે. આ પહેલાના 45 વર્ષ દરમિયાન, ફાઉન્ડેશને આશરે 34-35 લાખ લોકોને સેવા પૂરી પાડી છે.

“અમે પાછલા 50 વર્ષમાં લગભગ 50 લાખ લોકોને સેવા આપી છે. મુશ્કેલ સમયમાં આટલા બધા લોકોને સાથ આપવા માટે અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ. અમે અમારા ભવ્ય અસ્તિત્વના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ, ત્યારે અમે લાયન્સ ક્લબ ઑફ દિગ્વિજયનગર અને અન્ય દાતાઓનો તેમના ઉદાર ભાવે યોગદાન માટે આભાર માનીએ છીએ કે જેઓ અમને લાખો લોકોની સેવા કરવામાં મદદરૂપ થયા છે. અમને વિશ્વાસ છે કે અમને આ જ પ્રકારનો સહકાર મળતો રહેશે. અમે જરૂરિયાતમંદોની સેવા કરવા તથા તેમના દુઃખ અને વેદનાને ઘટાડવામાં મદદરૂપ થવા માટે પણ પ્રતિબદ્ધ છીએ,” તેમ દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ક્રિશ્નકુમાર શાહ સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંત દલાલે જણાવ્યું હતું.

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન નોન-બીપીએલ દર્દીઓને પ્રતિ રાત્રી દીઠ વ્યક્તિ દીઠ રૂા.100 ના દરે પથારી આપે છે, જ્યારે બીપીએલ દર્દીઓને રાત્રિ દીઠ વ્યક્તિ દીઠ માત્ર રૂા. 20ના દરે આ સુવિધા પ્રદાન કરે છે.  રૂા. 50 વધુ ચૂકવીને એસી રૂમ પણ મેળવી શકાય છે. સહવાસીઓને પણ માત્ર રૂા. ૩૫માં અમર્યાદિત ભોજન આપવામાં આવે છે. જેઓ રૂા. 35 ચૂકવવાનું પડવતું ન હોય તેમને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે.

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન તેની સુવર્ણ જયંતિ નિમિત્તે આગામી 50 દિવસ સુધી તેના આવાસમાં રહેતા તમામ જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને વિનામૂલ્યે રહેવા અને જમવાની સગવડ પૂરી પાડશે.

ફાઉન્ડેશન પાસે 250 થી વધુ રૂમવાળા ત્રણ બ્લોક છે જ્યાં તે દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને રહેવાની સગવડ પૂરી પાડે છે. તેનો પ્રથમ બ્લોક વિશ્વાન્તિ ગૃહ 50 વર્ષ જૂનો છે, સ્વજન ગૃહ પણ 50 વર્ષ જૂનો છે, જ્યારે તેનો ત્રીજો બ્લોક સેનેટોરિયમ 2018માં બનાવવામાં આવ્યો હતો. ફાઉન્ડેશન બે જૂના બ્લોકને તોડીને તેની જગ્યાએ બે ટાવર બનાવવાની યોજના ધરાવે છે.

 “અમે રૂા. 20 કરોડના ખર્ચે બે જૂના બ્લોકના સ્થાને આગામી પાંચ વર્ષમાં બે 12 માળના ટાવર બનાવીશું. પ્રથમ બ્લોક તોડીને તેની જગ્યાએ આગામી અઢી વર્ષમાં વધુ સારી સુવિધાઓ સાથે ટાવર બનાવવામાં આવશે. ત્યારપછી, બીજા બ્લોકને તોડીને નવો ટાવર બનાવવામાં આવશે. બે જૂના બ્લોકમાં 88 રૂમ છે, જ્યારે નવા ટાવર્સમાં લગભગ 140 રૂમ હશે. જેથી અમને વધુ લોકોને સેવા આપવાની તક મળશે. અમે દાતાઓને પણ અપીલ કરીએ છીએ કે તેઓ તેમના મનથી દાનમાં અમને સહકાર આપતા રહે,” દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના ખજાનચી શ્રી રાજેન્દ્ર લાલવાણીએ જણાવ્યું હતું.

ફાઉન્ડેશને 20 જાન્યુઆરીએ તેની સુવર્ણ જંયતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રી ગોપાલ જગનાનીની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. શ્રી પૃથ્વિરાજ કાંકરીયા (ચેરમેન, રાજસ્થાન હોસ્પિટલ્સ) આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સ્થાન શોભાવશે. ઉદ્યોગપતિ શ્રી જગદીશ અગ્રવાલ, શ્રી પ્રફુલ છાજેડ (ડિરેક્ટર, એસબીઆઈ) અને શ્રી રસિક પટેલ (લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ 3232B1) વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. નિવૃત્ત આઈપીએસ અધિકારી શ્રી જે. કે. ભટ્ટ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શ્રી પી. કે. લહેરી અને અમદાવાદના કલેક્ટર શ્રી ધવલ પટેલ પણ શ્રી અપૂર્વ શાહ, શ્રી બકુલ પંડ્યા, શ્રી દીપક રાવલ, શ્રીમતી ઈન્દ્ર રાઠી, શ્રી નંદલાલ ન્યાતી અને શ્રી નિરંજન જાનીની યજમાની હેઠળના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Tags: AhmedabadGujaratઅસારવાદિગ્વિજય લાયન્સદિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનફાઉન્ડેશનસિવિલ હોસ્પિટલસેવા
Previous Post

આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન દ્વારા ન્યુ ચાંદખેડા, અમદાવાદ ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે

Next Post

સિનેમેરા દ્વારા અમદાવાદમાં વન સ્ટોપ મોટરસ્પોર્ટ્સ હબ ‘એરડાઝ સ્પીડવે’નો પ્રારંભ

Next Post

સિનેમેરા દ્વારા અમદાવાદમાં વન સ્ટોપ મોટરસ્પોર્ટ્સ હબ ‘એરડાઝ સ્પીડવે’નો પ્રારંભ

નાબાર્ડ દ્વારા રાજ્ય માટે વર્ષ 2023-24 દરમિયાન પ્રાધાન્ય ક્ષેત્રે રૂ.2.98 લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri