• Latest
  • Trending

પ્રધાનમંત્રી મોદીએ કરી ‘મન કી બાત’, દીવ અને ‘સૌરાષ્ટ્રી તમિલ’નો ખાસ કર્યો ઉલ્લખ

3 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

પ્રધાનમંત્રી મોદીએ કરી ‘મન કી બાત’, દીવ અને ‘સૌરાષ્ટ્રી તમિલ’નો ખાસ કર્યો ઉલ્લખ

KhabarPatri News by KhabarPatri News
April 10, 2023
in ભારત, રાજનીતિ
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે મન કી બાત કરી. પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના ૯૯માં એપિસોડને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં પરમાર્થને એટલું ઉપર રાખવામાં આવ્યું છે કે બીજાના સુખ માટે, લોકો પોતાનું સર્વસ્વ દાન કરવામાં પણ સંકોચ કરતા નથી. આથી તો આપણને બાળપણથી શિવિ અને દધિચિ જેવા દેહદાનીઓની ગાથાઓ સંભળાવવામાં આવે છે. આધુનિક મેડિકલ સાયન્સના આ દૌરમાં Organ Donation કોઈને જીવન આપવામાં એક ખુબ મોટું માધ્યમ બની ચૂક્યું છે. એવું કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ  બાદ પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી ૮થી ૯ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના બને છે. પીએમ મોદીએ કહ્યું કે સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે.

વર્ષ ૨૦૧૩માં આપણા દેશમાં અંગદાનના ૫ હજારથી પણ ઓછા કેસ હતા, પરંતુ ૨૦૨૨માં આ સંખ્યા વધીને ૧૫ હજારથી વધુ થઈ ગઈ. અંગદાન કરનારા વ્યક્તિઓએ, તેમના પરિવારે, ખરેખર ખુબ પુણ્યનું કામ કર્યું છે.  પીએમ મોદીએ કહ્યું કે ૩૯ દિવસના અબાબત કૌર હોય કે પછી ૬૩ વર્ષના સ્નેહલતા ચૌધરી તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાંઆજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા લોકો છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ ઓર્ગન ડોનેટ કરનારાઓની રાહ જુએ છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી પોલીસી ઉપર પણ કામ થઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે ભારત જે સામર્થ્ય નવેસરથી નીખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે.

હાલમાં એવા કેટલાય ઉદાહરણ આપણી સામે આવ્યા છે. તમે સોશિયલ મીડિયા પર એશિયાના પહેલા મહિલા લોકો પાયલટ સુરેખા યાદવને જરૂર જાજોયા હશે. સુરેખા એક નવો વિક્રમ બનાવતા વંદે ભારત એક્સપ્રેસના પણ પહેલા લોકો પાયલટ બની ગયા છે.  પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે સોલર એનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો સદીઓથી સૂર્યથી વિશેષ રીતે નાતો ધરાવે છે.  આપણા ત્યાં સૂર્યની શક્તિને લઈને જે વૈજ્ઞાનિક સમજ રહી છે, સૂર્યની ઉપાસનાની જે પરંપરાઓ રહી છે તે અન્ય જગ્યાઓ પર બહુ ઓછી જાજોવા મળે છે. બધાનો પ્રયાસ… એ જ સ્પીરિટ આજે ભારતના સોલર મિશનને આગળ વધારી રહી છે. દીવ વિશે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દમણ-દીવમાંથી જે દીવ છે કે જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ એક અદભૂત કામ કરીને બતાવ્યું છે. તમે જાણતા હશો કે દીવ સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવના સમયે પણ તમામ જરૂરિયાતો માટે ૧૦૦ ટકા ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે. દીવની આ સફળતાનો મંત્ર પણ બધાનો પ્રયત્ન જ છે. એક સમયે અહીં વીજળી ઉત્પાદન માટે સંસાધનો અંગે પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સોલર એનર્જીને પસંદ કરી. અહીં ઉજ્જડ જમીન અને અનેક બિલ્ડિંગ્સ પર સોલર પેનલ લગાવવામાં આવી. આ પેનલ્સથી દીવમાં દિવસના સમયે જેટલી વીજળીની જરૂર હોય છે  તેનાથી વધુ વીજળી પેદા થઈ રહી છે.

આ સોલર પ્રોજેક્ટથી વીજળી ખરીદી પર ખર્ચ થનારા લગભગ ૫૨ કરોડ રૂપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટું રક્ષણ થયું છે. પુણેનો પણ આ મામલે તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પુણે અને દીવે જે કરીને દેખાડ્યું છે આવા જ પ્રયત્નો દેશભરમાં અનેક અન્ય  જગ્યાએ પણ થઈ રહ્યા છે. પીએમ મોદીએ પુણે વિશે કહ્યું કે અહીં MSR -ઓલિવ હાઉસિંગ સોસાયટીના લોકોએ નક્કી કર્યું કે સોસાયટીના પીવાના પાણી, લિફ્ટ અને લાઈટ જેવી સામૂહિક ઉપયોગની ચીજાજો હવે સોલર એનર્જીથી જ ચલાવવામાં આવશે. ત્યારબાદ આ સોસાયટીના બધા લોકોએ મળીને સોલર પેનલ લગાવી. આજે આ સોલર પેનલથી દર વર્ષે લગભગ ૯૦ હજાર કિલોવોટ અવર વીજળી પેદા થાય છે. તેનાથી દર મહિને લગભગ ૪૦,૦૦૦ રૂપિયાની બચત થાય છે. આ બચતનો લાભ સોસાયટીના તમામ લોકોને થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે એક ભારત-શ્રેષ્ઠ ભારતની  ભાવના આપણા દેશને મજબૂતી આપે છે. આપણે જ્યારે એક બીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ તો એક્તાની આ ભાવના વધુ ગાઢ બને છે. તેમણે કહ્યું કે એક્તાની આ જ સ્પિરીટ સાથે આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ’ થવા જઈ રહ્યો છે. ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ’ ૧૭થી ૩૦ એપ્રિલ સુધી ચાલશે. પીએમએ  કહ્યું કે સદીઓ પહેલા સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ અલગ ભાગોમાં જઈને વસી ગયા હતા. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રી તમિલના નામે ઓળખાય છે.

Tags: DiuMann Ki BaatPrime Minister ModiSaurashtri Tamilદીવપ્રધાનમંત્રી મોદીમન કી બાતસૌરાષ્ટ્રી તમિલ
Previous Post

કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આરકે સિંહના વરદ હસ્તે ઇન્સ્ટિંક્ટ 3.0 નું લોન્ચિંગ

Next Post

અજય દેવગણે પોતાની આગામી ફિલ્મ ‘ભોલા” ના પ્રમોશન માટે અમદાવાદના એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

Next Post

અજય દેવગણે પોતાની આગામી ફિલ્મ 'ભોલા" ના પ્રમોશન માટે અમદાવાદના એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે  દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત અને કેટલાક મહિલા સાહસિકોનું ખાસ સન્માન

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri