• Latest
  • Trending

આજે વિજ્યાદશમી નિમિત્તે રાવણદહનના કાર્યક્રમો થશે

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

આજે વિજ્યાદશમી નિમિત્તે રાવણદહનના કાર્યક્રમો થશે

ઘણી જગ્યાએ ગુરુવારે રાવણદહન થયું

KhabarPatri News by KhabarPatri News
October 19, 2018
in અમદાવાદ, તહેવાર વિશેષ, નવરાત્રી-2023, ભારત
0

દશેરા પર્વને લઇને આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેના ભાગરુપે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો આજે થયા હતા જ્યારે કેટલીક જગ્યાએ પણ રાવણ દહનના કાર્યક્રમ થશે જેમાં ભાજપ અને રાજકોટમાં રાવણદહનના કાર્યક્રમનો સમાવેશ થાય છે. હર્ષ અને ઉલ્લાસ સાથે વિજયના પ્રતીકરૂપે ઊજવાતો તહેવાર છે, જે વિશ્વને શિક્ષા આપે છે કે ખરાબ કામ કરનાર વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ અસત્યના માર્ગે ચાલનાર વ્યક્તિનું પતન થાય છે. આ દિવસનું મહ¥વ એટલા માટે પણ છે કે આ દિવસે પ્રારંભ કરવામાં આવેલા કાર્યમાં સિદ્ધિ-સફળતા-વિજય મળે છે.

બીજીબાજુ, વિજયાદશમની પર્વને લઇ  અમદાવાદ, રાજકોટ અને ભરૂચમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કરવામાં આવશે. અમદાવાદમાં ભાડજ ખાતે હરેકૃષ્ણ મંદિર પાસે રાવણના ૬૦ ફુટ ઉંચા વિશાળ પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના પૂતળાની સાથે સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરાશે. બીજીબાજુ, રાજયમાં સૌથી ઉંચા રાવણના પૂતળાનું દહન રાજકોટ ખાતે કરવામાં આવશે. રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાના પણ દહન કાર્યક્રમ યોજાશે. વિશાળ અને સૌથી ઉઁચા રાવણના પૂતળાની બનાવટ માટે ખાસ ઉત્તરપ્રદેશથી કારીગરો બોલાવવામાં આવ્યા હતા. આ જ પ્રકારે ભરૂચમાં પણ  રાવણના પૂતળાનું દહન કરાશે.

બીજીબાજુ, આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરુચ સહિતના સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા ખાસ શ†પૂજા કરવામાં આવી હતી તો, વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજવી પરિવાર દ્વારા પણ શાસ્ત્રોકત વિધિ સાથે પુરાણા પ્રાચીન અને આધુનિક શ†ોની પૂજા કરવામાં આવી હતી. આસો માસની દશમના દિવસે દશેરા આવે છે. આ તહેવાર નવ દિવસનાં માતા દુર્ગાની નવરાત્રિ પછી આવતો તહેવાર છે. ત્યાર પછી દિવાળી આવે છે. દશેરાના દિવસે રાવણદહન માટે તૈયારીઓે કરવામાં આવે છે. રાવણની દસ માથાવાળી પ્રતિકૃતિ ભવ્ય બનાવવામાં આવે છે. સાંજના સમયે આ રાવણનું દહન કરવામાં આવે છે. વિજયાદશમી એક ઉત્સવ કે તહેવાર જ નથી, પરંતુ કેટલીય સારી વાતોનું પ્રતીક છે.

સત્ય, સાહસ, નિઃસ્વાર્થ સહાયતા, મિત્રતા, વીરતા અને સૌથી વધારે દંભ જેવાં અલગ અલગ ત¥વોનું પ્રતીક છે. અસત્ય પર સત્યનો વિજય થયો અને દરેક યુગ માટે તે એક પરંપરા બની ગઇ. તેથી દરકે વ્યકિત હંમેશાં કહે છે કે સત્યનો જ હંમેશાં વિજય થાય છે. અસત્ય કે ખરાબ વ્યકિતનો નાશ થાય છે. અભિમાન અને ખોટા દંભના કારણે ખરાબ રસ્તા પર જઇ રહેલ રાવણનો નાશ આજે પણ વિજયાદશમીના દિવસે કરવામાં આવે છે. દશેરાને વિજયાદશમીના નામે પણ ઓળખવામાં આવે છે. વિજયાદશમી ભગવાન શ્રીરામના વિજયના રૂપમાં અને દુર્ગામાતાની પૂજાના રૂપે આ શક્તિ પૂજા-આરાધનાનો ઉત્સવ કહેવાય છે. દશેરા હર્ષ અને ઉલ્લાસ સાથે વિજયના પ્રતીકરૂપે ઊજવતો તહેવાર છે. જે વિશ્વને એ શિક્ષા આપે છે કે ખરાબ કામ કરનાર વ્યકિત ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ તેનું પતન થાય છે. પાપનો અંત નક્કી હોય છે. તે વધુ સમય સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકતો નથી. દશેરાનો તહેવાર ઊજવીએ ત્યારે આ બોધપાઠ આપણને મળે છે. દશેરા ભારત અને અન્ય દેશોમાં પણ ધામધૂમથી ઊજવાય છે. ભારતમાં વિજયાદશમી પર્વ દેશનાં બધાં જ રાજ્યમાં ધામધૂમથી ઊજવાય છે. ભારતમાં દક્ષિણ ભારત, બંગાળ જેવાં રાજ્યના લોકો દશેરાની તૈયારીઓ કેટલાય દિવસ પૂર્વેથી કરતા હોય છે. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિના સમન્વયનો ઉત્સવ.વીરતાનો વૈભવ-શૌર્યનો શૃંગાર એટલે દશેરા. અસત્ય પરના સત્યનો વિજય અને આસુરીશક્તિ પર દૈવીશક્તિની ભવ્ય જીત દશેરા તરીકે સદીઓથી ઊજવાતી આવી છે. સદ્‌ગુરુ સાંઈબાબાનું મહાપ્રયાણ દશેરાના દિવસે થયું.

આ દિવસે તેમણે મહાસમાધિ લીધી હતી. દશેરાના દિવસે શ્રીરામની યાદમાં રાવણનું દહન કરવામાં આવે છે. શ્રીરામે અસત્ય પર સત્યનો વિજય કરી બતાવ્યો હતો. શ્રીરામ અને રાવણના યુદ્ધમાં છેલ્લો દિવસે રાવણનો વધ કરવામાં આવ્યો તે દશેરા તરીકે ઓળખાય છે. વિજયાદશમી એક વિજયગીત છે, એક જય ગાથા છે. એક સંઘર્ષનો વિરામ છે, અશુભનો અંત છે. હજારો વર્ષ પહેલાં આ ભૂમિ પર માનવ ઇતિહાસની અભૂતપૂર્વ અને અવિસ્મરણીય ઘટના બની હતી. તે અસત્યની સત્ય પર વિજયથી ગાથા બની ગઇ. રામ-રાવણ યુદ્ધ સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ વચ્ચે એવો સંગ્રામ રચ્યો, જેનાથી સામાજિક સંદર્ભ પ્રભાવિત થયા. તેના અંતથી મૂલ્યને સ્થાપિત કરવામાં આવ્યાં. અન્યાય, અત્યાચાર, વિઘટન, અહંકાર સંસારમાં કલંકરૂપ છે. જ્યારે માણસ સ્વયંને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરે છે ત્યારે રાવણ બનવા માટે પ્રેરિત થાય છે. શ્રીરામ અને રાવણના યુદ્ધમાં બંને પાસે શક્તિ હતી. રાવણ પાસે અહંકાર અને પ્રતિષ્ઠાની શક્તિ તો શ્રીરામ પાસે સત્યની શક્તિ હતી. અંતે તો સત્યનો જ વિજય થાય છે.

 

Tags: DussehranavratriNavratri MahotsavRavan Dahan
Previous Post

વરદાયીની માતા સાથે પૌરાણિક કથા પણ છે

Next Post

રિલાયન્સ જીઓનો દિવાળી ધડાકો : ૧૦૦ ટકા કેશબેક

Next Post

રિલાયન્સ જીઓનો દિવાળી ધડાકો : ૧૦૦ ટકા કેશબેક

આરએસએસ સબરીમાલા સંદર્ભે અસહિષ્ણુ : વિજયન

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri