• Latest
  • Trending

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે શંકરાચાર્યના મતે યોગ શું છે.

4 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે શંકરાચાર્યના મતે યોગ શું છે.

KhabarPatri News by KhabarPatri News
June 23, 2022
in ધાર્મિક, ભારત
0

માનસ વ્યાસગુફા  મહેશ એન.શાહ  દિવસ-૫ તારીખ ૨૨ જૂનરજ સૂકી હોય છે અને એ મેળવનાર સુખી હોય છે!સમસ્ત રાગોથી મુક્ત થવું એ વિગત રાગ છે.શબ્દાતિત,ગુણાતિત અને ઈન્દ્રિયાતિત સ્થિતિ એ વિગતરાગ છે.શ્રેષ્ઠને છોડવું એ ત્યાગ છે નિમ્નને છોડવું એ ત્યાગ નથી.

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે શંકરાચાર્યના મતે યોગ શું છે.
અપરીગ્રહ વાક્ નિરોધ: -વાણીનો નિરોધ યોગ છે.કોઈની આશા ન કરવી એ પણ યોગનું રૂપ છે.બાપુએ પૂછ્યું રજ સૂકી હોય કે ભીની?રજ સૂકી હોય છે અને એ મેળવનાર સુખી હોય છે! રજનું અંજન થઈ શકે છે?
પરસત પદ પાવન સોક નસાવન પ્રગટ ભઇ તપપુંજ સહિ…અહલ્યાના આ પાવન પ્રસંગમાં રજનું મહત્વ દેખાય છે.શંકરાચાર્યજી કહે છે ગીતાનું ગાયન કરો, અને સહસ્ત્રનામનો પાઠ કરો.અહીં એક જ નામનું વારંવાર રટણ પણ જાણે સહસ્ત્રનામ છે.ધયેયં શ્રીપતિરૂપં… શ્રીપતિ રૂપનું ધ્યાન ધરો.એટલે કે શ્રીપતિ-વિષ્ણુનાં રૂપનું ધ્યાન કરો એનો અર્થ એ છે કે સંકીર્ણતા નહીં પણ વિશાળતાનું ધ્યાન કરો.વ્યાસનો અર્થ પણ વિશાળ છે.અને તમારી બુદ્ધિ અને ચિત્તને કોઈ સજ્જનની પાસે લઈ જાઓ.તમારી પાસે કોઇ વિત્ત છે તો એ ગરીબોમાં વહેંચી દો.

બ્રહ્મસૂત્ર ઉપનિષદ આદિ ત્રણ ગ્રંથોનું અધ્યયન કરે એને જ આચાર્ય પદ મળે છે.શાંકરભાષ્ય,ગીતાભાષ્ય, ઉપનિષદ એ જ રીતે બ્રહ્મસૂત્રનુ અવલોકન કરતા વ્યાસજી ખૂબ જ ક્લિષ્ટ દેખાય છે.જાણે કે અક્ષર થોડા અર્થ ઘણા છે.બાપુએ કહ્યું કે આમ તો બધી જ સંખ્યા ઉત્તમ છે.તો પણ ૯નો અંક પૂર્ણ છે અને શૂન્ય છે,રિક્ત-ખાલી પણ છે.મંગલાચરણમાં નવની વંદના કરી છે.

રામચરિતમાનસમાં અષ્ટક પણ ઘણા છે, સપ્તત પણ છે અને પંચક પણ ઘણા છે.મંગલાચરણના સાત શ્લોકમાં એક-એક શ્લોક એક-એક સોપાનનું પ્રતિનિધિત્વ કરે છે એવું કહેવાય છે.પરંતુ આ સાત શ્લોકમાં નવની વંદના કરી છે. પ્રથમ શ્લોકમાં વાણી અને વિનાયકની,બીજા શ્લોકમાં ભવાની અને શંકરની,ત્રીજા શ્લોકમાં બોધમયી ગુરુ શિવની,ચોથા શ્લોકમાં કવિશ્વર વાલ્મીકિ અને કપીશ્વર હનુમાનની,એ પછી માત્ર સીતાજી વંદના અને સાતમા શ્લોકમાં રામની વંદના આ રીતે ૯ની વંદના થયેલી છે.રામચરિતમાનસમાં ગોસ્વામીજીને દ્રઢતા પૂર્વક સિદ્ધ કરવું હોય તો એણે નવની સંખ્યામાં રાખે છે.પરશુરામજીની સ્તુતિમાં નવ વખત જય જય શબ્દ આવે છે.બાપુએ કહ્યું કે જે રીતે સ્વેદજ,અંડજ જીવ એ જ રીતે પ્રકાશથી જન્મેલા આપણે બધા જંતુઓ પ્રકાશ સૂર્યના વંશજ કહેવાઇએ. સુમંત રામને વનમાં છોડી અને પાછા જાય છે ત્યારે નવ પ્રકારે અફસોસ બતાવે છે.તો અહીં ગ્રંથો,સંતો,ગુરુકૃપા,અનુભૂતિ આ બધાને અંતે વ્યાસજીમાં નવ પ્રકારના વિરાગની વાત દેખાય છે.આમ તો વ્યાસપુત્ર શુકદેવજીનો વૈરાગ શ્રેષ્ઠ.શુક પરમહંસના પણ પરમહંસ છે.શુકદેવજી જન્મની સાથે પોતાની નાભિની ઓરને ગળામાં લઈ અને નીકળી ગયેલા. શુકદેવ આમ્રફળ છે.એક ફળમાં જો આટલો વૈરાગ હોય તો જે શાખામાંથી એ ફળ આવ્યું છે તે વ્યાસનો વૈરાગ કેવો હશે!વ્યાસ લાગે છે સંસારી પણ ફળનું દર્શન કરવાથી થાય કે કેટલા વિરાગી હશે.બુદ્ધિ તર્ક પણ કરે છે જ્યારે વ્યાસ શુકદેવજીને શોધવા માટે નીકળે છે ત્યારે મમતા દેખાય છે.જોગ ભોગ મમહ રાખઇ ગોઇ… વ્યાસના સંસારની પાછળ વૈરાગ્ય છે.વ્યાસનો વિરાગ વિશેષ પ્રકારનો રાગ છે.વિશેષ લગાવ છે. મહાભારત સુધી વ્યાસ કદાચ રૂખા-સૂખા હતા કારણ કે મહાભારત પહેલા જય સંહિતા નામથી ઓળખાતું.એ પછી શ્રીમદભાગવત કથામાં કૃષ્ણ રસ વહે છે અને એમાં પણ દશમસ્કંધ વ્યાસજીમાં વિગતરાગ દેખાય છે.સમસ્ત રાગોથી મુક્ત થવું એ વિગત રાગ છે.શબ્દાતિત,ગુણાતિત અને ઈન્દ્રિયાતિત સ્થિતિ તે વિગતરાગ છે.એક તણખલાની જેમ બધું જ છુટી જાય છે.

બાપુએ કહ્યું કે શ્રેષ્ઠને છોડવું એ ત્યાગ છે નિમ્નને છોડવું એ ત્યાગ નથી.સત્યને વિશ્વ મંગળ માટે ત્યાગ કરવો એ પરમ વૈરાગ છે.વિશ્વ શાંતિ માટે પોતાની શાંતિનો ત્યાગ કરે છે એ પણ વ્યાસ વૈરાગ છે.વસ્ત્રોનો ત્યાગ,કોઈના માટે શરીરનો ત્યાગ વ્યાસ કહે છે વૃત્તિનો ત્યાગ વૈરાગ છે.પ્રેમ માર્ગમાં પ્રિયજનના વિરહમાં પોતાના પ્રાણનો ત્યાગ એ પણ વૈરાગ છે.જે રીતે દશરથ રામના વિયોગમાં પ્રાણનો ત્યાગ કરે છે.
કથા પ્રવાહમાં સંક્ષેપમાં શિવ વિવાહની કથા કરી અને રામજન્મ સુધીની કથાનું વિસ્તારપૂર્વક ગાયન કરી આજની કથાને વિરામ અપાયો.

Tags: KathaMorari Bapuકથા
Previous Post

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Next Post

શ્કોડા ઓક્ટાવિયાએ ભારતમાં 101,111 કાર વેચીને ઐતિહાસિક સીમાચિહન પાર કર્યું

Next Post

શ્કોડા ઓક્ટાવિયાએ ભારતમાં 101,111 કાર વેચીને ઐતિહાસિક સીમાચિહન પાર કર્યું

લંડનમાં નવો પોલિયો વાયરસ મળ્યો, WHO એ કર્યા સાવધાન

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri