• Latest
  • Trending

ગુજરાતમાં નવરાત્રિનું વેકેશન રદ કરાયું : તીવ્ર રજૂઆતો બાદ નિર્ણય

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

ગુજરાતમાં નવરાત્રિનું વેકેશન રદ કરાયું : તીવ્ર રજૂઆતો બાદ નિર્ણય

વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતો સાથે ચેડાં : નવરાત્રિ વેકેશન ચાલુ રાખવા અને રદ કરવાને લઇને વારંવારના નિર્ણયથી સરકારની પ્રતિષ્ઠાને પણ ફટકો

KhabarPatri News by KhabarPatri News
June 7, 2019
in અમદાવાદ, ગુજરાત
0

અમદાવાદ : જુદી જુદી સંસ્થાઓ, કેટલીક સ્કુલો અને સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ અને તીવ્ર દબાણ લવાયા બાદ આખરે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિ દ્વારા વેકેશન રદ કરવામાં આવ્યું હતું. જો કે, પાછળથી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, વેકેશન રદ નહી થાય અને નવરાત્રિ વેકેશન યથાવત્‌ રહેશે અને હવે ફરી પાછુ એકવાર રાજય સરકાર દ્વારા નવરાત્રિ વેકેશન રદ કરવામાં આવ્યું છે. આમ, સમિતિ અને સરકાર વચ્ચે સંકલનનો તો સદંતર અભાવ જોવા મળ્યો જ છે પરંતુ બીજીબાજુ, શિક્ષણ જેવા સંવેદનશીલ મુદ્દા અને વિદ્યાર્થી અને વાલીઓના હિત સાથે ચેડાં કરવા જાણે રાજય સરકાર માટે મજાક સમાન છે એવો ઉગ્ર આક્રોશ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયો છે. સમાજના સભ્ય અને જાગૃત નાગરિકોએ વારેઘડીયે આ પ્રકારે નિર્ણય બદલવાના તાયફા કરવાના સરકારના વલણને આકરા શબ્દોમાં વખોડી કાઢી તેની ભારોભાર નિંદા કરી હતી.

એક રીતે જાવા જઇએ તો, ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયા છે. ગુજરાતની શાળાઓમાં નવરાત્રિ વેકેશન મામલે ગત વર્ષની માફક આ વર્ષે પણ વિવાદ થયો છે. હવે આજે ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરીને નવરાત્રિ વેકેશનને લઈ આઠ દિવસની રજાઓ જાહેર કરી હતી. તો બીજી બાજુ શિક્ષણમંત્રીએ માત્ર એક કલાકમાં જ આ નિર્ણયને રદ કરતા નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હતી. આમ શિક્ષણમંત્રી ફરીવાર કેટલાક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ આવી કેબિનેટની બેઠકમાં નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિના મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા બે વર્ષથી વિવાદમાં આવે છે, ગત વર્ષે પણ નવરાત્રિ વેકેશન જાહેર કર્યાં બાદ કેટલીક લઘુમતી અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ ગયા વર્ષે નવરાત્રિનું વેકેશન જાહેર કર્યા બાદ રદ કરી દીધું હતું. તે જ પ્રમાણે ચાલુ વર્ષે પણ કેટલાંક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશન રદ કરી દીધું છે, જેની સામે વાલી-વિદ્યાર્થીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું હતું કે, આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવવાનું નથી અને નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં જ નવરાત્રિ વેકેશનને જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને વાલીમંડળ અને અન્યોની રજૂઆતને ફગાવી દેવામાં આવી હતી. આને લઇને જુદી જુદી સંસ્થાઓ તરફથી પ્રતિક્રિયાઓ આપવામાંઆવી હતી. જાકે, નવરાત્રિ વેકેશન નહીં રાખવાના નિર્ણયને લઇને નવરાત્રિ ખેલૈયાઓને ફટકો પડ્યો છે અને નવરાત્રિમાં સ્કુલો ચાલુ રહેવાથી વાલીઓ ઉપર પણ કેટલાક અંશે દબાણ રહેશે.

Tags: Bhupendra ChudasamaGujaratNavaratriVacation
Previous Post

હાર્ટની તકલીફ વારસાગત છે

Next Post

૨૦૨૦માં ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષા પાંચમી માર્ચથી

Next Post

૨૦૨૦માં ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષા પાંચમી માર્ચથી

સરદાર ડેમની જળસપાટી વધી જતાં ગરમીમાં રાહત

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri