અમદાવાદ: ઉપરવાસમાં ભારે વરસાદ અને નવા નીરની આવકના કારણે રાજયના નર્મદા ડેમમાં જળસપાટી ૧૧૪.૩૪ મીટરથી વધુ પહોંચી ગઇ હતી. છેલ્લા ૪૮ કલાકમાં ડેમમાં ચાર મીટર નવા નીરની આવક નોંધાઇ છે. નર્મદા ડેમમાં હવે એક વર્ષ સુધી ચાલે એટલા પાણીનો જથ્થો આવ્યો હોઇ સરકાર અને તંત્રના અધિકારીઓએ ભારે રાહતની લાગણી અનુભવી હતી. આજે પણ રાજયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો અને પંથકમાં મેઘરાજાની સતત મહેર જારી રહી હતી, જેના કારણે ખૂડૂતોના પાકને જીવતદાન મળી ગયું છે, જેને લઇ ખેડૂતઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more