સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા અને રાજભોગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતમાં આગામી ચોમાસામાં વરૂણદેવ મન મુકીને વરસે તેવી ભગવાન દ્વારકાધિશને પ્રાર્થના મુખ્યમંત્રીએ કરી હતી. તેમજ મુખ્યમંત્રીએ મંદિરના પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું પણ અભિવાદન ઝીલ્યું હતું.
લેખિકા પાર્થિવી અધ્યારુ દ્વારા લિખિત 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ અને અમદાવાદ.કોમનું વિમોચન
શનિવારની સમી સાંજે લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુના 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ (સુપરમેન અને સુપરવીમેનના જીવનસૂત્ર) અને અમદાવાદ.કોમ (મળીએ અનેરા...
Read more