• Latest
  • Trending

જમર્નીમાં ફસાયેલી ગુજરાતની દીકરી અરિહા શાહની વ્હારે આવ્યા સરકારના તમામ મંત્રાલય…

10 months ago

નિજ્જર હત્યાકાંડના વિવાદ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીને મળ્યા

10 hours ago

PM ગતિ શક્તિ બેઠકમાં ૬ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકાયો

10 hours ago

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

15 hours ago

અમદાવાદ ટાઈમ્સ ફેશન શો સીઝન 2 ની આકર્ષક શરૂઆત

18 hours ago

વિશ્વ મેરીટાઇમ ડે- MARPOL એટ 50- જેબીએસ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉજવણી

2 days ago

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (PRCI) દ્વારા પબ્લિક રિલેશન્સ સોસાયટી દિલ્હી (PRSD)ના સહયોગથી આયોજિત થઇ 17મી વૈશ્વિક કોમ્યુનિકેશન કોન્ક્લેવ

3 days ago

વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે

3 days ago

આવી ગઈ છે અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક, શહેરની સર્વશ્રેષ્ઠ ફેશન ઇવેન્ટ સિઝન 2

3 days ago

કેનેડામાં વડાપ્રધાન ટ્રૂડોની લોકપ્રિયતામાં ઘટાડો : સર્વે પરથી લગાયું અનુમાન

4 days ago

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક આ બીમારી, WHOની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

4 days ago

અમેરિકામાં ફરીવાર આ સપ્તાહે શટડાઉનનું જોખમ

4 days ago

અમેરિકાના એટલાન્ટામાં શોપિંગ મોલ પાસે ફાયરિંગ, ૩ લોકોના મોત

4 days ago

ફરી હવામાન વિભાગે આગાહી કરી, આ રાજ્યોમાં અતિભારે વરસાદ

4 days ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Saturday, September 30, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

જમર્નીમાં ફસાયેલી ગુજરાતની દીકરી અરિહા શાહની વ્હારે આવ્યા સરકારના તમામ મંત્રાલય…

KhabarPatri News by KhabarPatri News
December 3, 2022
in આંતરરાષ્ટ્રીય, ગુજરાત, ભારત
0
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં 5-6 ડિસેમ્બરે યોજાનારી ભારત-જર્મની દ્વિપક્ષિય વાર્તા આપણી ગુજરાતની દીકરી માટે નિર્ણાયક રહેશે

એક-એક વર્ષથી જર્મનીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા વિવિધ કાયદાઓ હેઠળ જર્મનીની ફોસ્ટર કેરમાં રાખવામાં આવેલી આપણા ગુજરાતની નાનકડી ભુલકી અરિહા શાહ ને ભારત લાવવાની માંગ દેશ ના ખૂણે ખૂણે થી ઉઠી રહી છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગુજરાતના સાત જેટલા વિવિધ શહેરોમાં વિશાળ જન મેદની સાથે અરિહા બચાવો રેલીઓનું આયોજન કરવામાં આવ્યું  હતું,  જેમાં  મોટા મોટા જૈન મહાત્માઓ અને વિવિધ સંપ્રદાયોના સંતો પણ જોડાયા હતા. આ બાળકીને જર્મનીમાંથી છોડાવીને ભારત પરત લાવવા માટે જૈન ઉપરાંત પટેલ સમાજના વિવિધ અગ્રણીઓએ પણ પોતાનાથી બનતા તમામ પ્રયાસો અને અનેક રજૂઆતો સરકારને કરી  હતી.

આ બાળકી માટે ટવીટર જેવા શોશિયલ મીડિયામાં પણ અનેક રજૂઆતોનો દૌર ચાલી રહ્યો છે અને ભારતની આ દીકરીને જર્મન ચાઈલ્ડ સર્વિસ દ્વારા થઈ રહેલા તેના મૂળભૂત અધિકારો અને બાળ અધિકારોના ઉલ્લંઘન માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આપણે સૌએ જોયું અને અનુભવ્યું છે કે આપણી શસ્ક્ત સરકારે કેવી રીતે કોરોના કાળમાં વિવિધ દેશોની મદદ કરી હતી અને કેવી રીતે ચાલુ યુદ્ધને પણ વિરામ આપીને પ્રધાનમંત્રીએ યુક્રેન ફસાયેલા આપણા બાળકોને ભારત પરત લાવી નવું  જીવન આપ્યું હતું.

આપણા પ્રધાનમંત્રીની શસ્ક્ત વિદેશ નીતિ અને એમના સંવેદનશીલ નેતૃત્વના કારણે સમગ્ર દેશવાસીઓમાં પણ એક આશા અને અપેક્ષાનું મોજું  ઉછળી રહ્યું છે કે છે કે મોદીજીના નેતૃત્વમાં ગુજરાતની આ દીકરીનો જર્મની પણ વાળ વાંકો નહિ કરી શકે પણ એ સાથે સાથે અમુક લોકો એક એક વર્ષથી આ કેસનું સમાધાન ન આવવાને લીધે વિદેશ મંત્રાલય સામે દુઃખ પણ વ્યકત કરી રહ્યા છે.

30 નવેમ્બરના રોજ, આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ મીડીયામાં જણાવ્યું છે કે જર્મનીના વિદેશ મંત્રી 5 તથા 6 ડિસેમ્બરના રોજ ભારતના પ્રવાસે છે અને એ દરમિયાન એ આપણા વિદેશ પ્રધાન ડૉ. જયશંકરજી સાથે બંને દેશો સાથે જોડાયેલા વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે.

આ સમાચાર મળતાની સાથે જ, સોશિયલ મીડિયા ઉપર લાખો લોકો વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયને અનુરોધ કરી રહ્યા છે કે આપણી આ ભારતની દીકરી અરિહા શાહના મુદ્દાને મજબૂત રીતે આ દ્વિપક્ષીય વાર્તા દરમિયાન ઉઠાવવામાં આવે અને દીકરીને ભારત લાવવાનો માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે. દીકરીને ભારત પાછી લાવવાના પ્રયાસોમાં પરિવાર સાથે મહિનાઓથી જોડાયેલા અને સરકાર સાથે જોડાયેલ એક જૈન સમાજના કાર્યકર પાસેથી જાણવા મળ્યું છે કે આપણા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આ દીકરી માટે સંપૂર્ણપણે કાર્યરત છે અને એમને વ્યકતિગત રીતે આ કેસની તમામ વિગતો સમજીને તમામ મંત્રાલયોને આપણી દીકરીને ભારત પરત લાવવા માટે સક્રિય થવાના નિશાનિર્દેશ આપી દીધેલા છે.

એક તરફ દીકરીને ભારત પરત લાવવાના તમામ પ્રયત્નો ચાલુ થયા છે ત્યારે આ 5 તથા 6 ડિસેમ્બરે  જર્મની અને ભારત વચ્ચે જે દ્વિપક્ષિય મંત્રાલયમાં આ દીકરીનો મુદ્દા પર વિસ્તૃત રીતે ચર્ચા થાય એવી પુરેપુરી શક્યતાઓ છે. છેલ્લા બે વર્ષથી જર્મની અને ભારત સરકાર વચ્ચેના સંબધો ગાઢ બનાવવાના બંને દેશો તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે અને એ અંતર્ગત આપણા પ્રધાનમંત્રીએ પણ એક જ વર્ષમાં બે વાર જર્મનીની મુલાકાત લીધી હતી.

દિલ્હીમાં 5-6 ડિસેમ્બરે યોજાનારી ભારત-જર્મની દ્વિપક્ષિય વાર્તા દરમિયાન આપણી ગુજરાતની દીકરીનો ભારત લાવવો માર્ગ મોકળો થાય અને આપણી આ દીકરીના નાના નાના પદ ચિહ્નો ભારતની ધરતી પર આકાર પામે એવી આશા લાખો લોકો અને સાધુ સંતો વ્યકત કરી રહ્યા છે. આપણી આ ગુજરાતની દીકરી આપણા પ્રધાનમંત્રીના સન્વેદનશીલ નેતૃત્વ હેઠળમાં ભારતીને મળે અને દીકરી ભારતીયતાને પામી દેશનું ગૌરવ બને એ જ ઈશ્વરને અંતર્મનથી  પાર્થના કરીયે છીએ.

Tags: Foster careGermanyGovernment Of IndiaRescue
ShareTweetSendShare
Previous Post

ઘરના આધારસ્તંભ ગણાતી ગૃહિણીઓને સ્પાઇન, ધુંટણ અને ખભાની પીડાઓથી મુક્ત કરી ફરીથી કાર્યરત કરાવાયા

Next Post

અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે - ૨ દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

Related Posts

નિજ્જર હત્યાકાંડના વિવાદ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીને મળ્યા

by KhabarPatri News
September 29, 2023
0

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના...

Read more

PM ગતિ શક્તિ બેઠકમાં ૬ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકાયો

by KhabarPatri News
September 29, 2023
0

કેન્દ્ર સરકારના પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન હેઠળ, ૫૬મી નેટવર્ક પ્લાનિંગ જૂથની બેઠકમાં છ પ્રોજેક્ટ્‌સ માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવી...

Read more

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

by KhabarPatri News
September 29, 2023
0

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી...

Read more

અમદાવાદ ટાઈમ્સ ફેશન શો સીઝન 2 ની આકર્ષક શરૂઆત

by KhabarPatri News
September 29, 2023
0

ધ અમદાવાદ ટાઇમ્સ ફેશન શો (ATFW) સિઝન 2, ધ ટાઇમ્સ ગ્રૂપની પહેલ અને શહેરની સૌથી મોટી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા, બુધવારે ગ્લેમરસ...

Read more

વિશ્વ મેરીટાઇમ ડે- MARPOL એટ 50- જેબીએસ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉજવણી

by KhabarPatri News
September 28, 2023
0

સંયુક્ત રાષ્ટ્ર ની એજન્સી ઇન્ટરનેશનલ મેરીટાઇમ સંસ્થા દ્વારા દર વર્ષે તા. 28મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ મેરીટાઇમ ડે ની ઉજ્વણી કરવામા...

Read more
Load More
Next Post

અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે - ૨ દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

આત્મનિર્ભર ભારત – એક મોટી પહેલ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફનું સર્વાંગી પરિવર્તન – લે. જન. અભય ક્રિષ્ના, (નિવૃત્ત)

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In