અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલા ઇશ્વર કૃપા ફ્લેટ પાસે બનવા પામી હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગણતરીની ક્ષણોમાં આગ પર ત્વરિત કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે કારને વધુ નુક્શાન થતા અટક્યું હતુ. કારમાં આગ લાગવાની આ ઘટનામાં કારના બોનેટના એન્જિનમાં આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી.
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન ઘ્વારા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકને HiRA એવોર્ડથી સન્માનિત
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ...
Read more