• Latest
  • Trending

કાવ્યપત્રી ૨૧ : નેહા પુરોહિત

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

કાવ્યપત્રી ૨૧ : નેહા પુરોહિત

*સખીરી ગીત  - સંજુ વાળા*

KhabarPatri News by KhabarPatri News
August 15, 2018
in કળા અને સાહિત્ય, કાવ્યપત્રી
0

*કાવ્યપત્રી*


*સખીરી ગીત  – સંજુ વાળા*



કાવ્યપત્રીનાં આજનાં હપ્તામાં સ્વાગત કરીએ કવિ સંજુ વાળાનું. એમની સાથે વાત કરતાં જણાવ્યું કે એ ક્યારેય કોઇ ઘટના પર લખવાનું પસંદ કરતા નથી. એટલે કોઇ રચના પાછળ કોઇ એક જ સંદર્ભ જોડાયેલો રહેતો નથી. પણ સતત ચિંતનશિલ સ્વભાવ અને અંતરમનની ખોજે આ ગીત લખાવ્યું છે.  તેઓ કહે છે કે જેના માટે આખી જિંદગી ખરચી નાખીએ છીએ એ તો સાવ ક્ષુલ્લક બાબતો છે. જે ઘટનાઓ આપણને વિચલિત કરી નાખે છે , એ વાસ્તવમાં તો અતલ જળરાશિની સપાટી પર ઉદ્ભવતા પરપોટા છે. પણ આ ઘટનાઓમાં આપણે એવાં અટવાઇ જઈએ છીએ કે જીવનનો તાગ મેળવવાની વાત ભૂલી જઈએ છીએ.


સખીરી, કેમ ઉકેલું લિપિ જળની,
તરંગ લિસોટે પડી છાપ તો ઘટના પળ બે પળની,
સખીરી, કેમ..

પરપોટાનું પોત : પવનનાં પગલાં,
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે,
સ્પર્શે ઊગે–સ્પર્શે ડૂબે,
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે,
પરગટ પારાવાર–ને નીંભર ટેવ પડી ટળવળની,
સખીરી, કેમ..

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું,
એકાન્ત ટકોરા મારે લીલા,
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને,
કહેવાશે અટકળિયા ચીલા,
ભાવગત આ અક્ષરિયત – ને છળમય ભાષા તળની,
સખીરી, કેમ .. ,

~ સંજુ વાળા


સખીરી, કેમ ઉકેલું લિપિ જળની,
તરંગ લિસોટે પડી છાપ તો ઘટના પળ બે પળની,
સખીરી, કેમ..

કવિની કલમનું વજન કેટલું છે એ મુખડા પરથી જ જણાઈ આવે છે.  ક્ષણવાર માટે થયેલ અનુભવ આખી જિંદગી પર અસર કરી જાય છે. નાની અમથી કાંકરી સમસ્ત જળરાશિની સપાટી પર તરંગો પેદા કરી શકે.એ આપણને દેખાય પણ ખરું. સાથે જ પેટાળમાં કોઇ હલચલ છે કે નહિ એનો કોઇ અંદાજ આપણે લગાવી શકતા નથી.

એ વાત પણ ખરી, કે કોઇ ઘટના બને ત્યારે આપણો પ્રતિસાદ આપણી ભીતરનાં ભંડારનો ક્યાસ કાઢી આપે છે. પણ અહીં તો સપાટી પર કંઇક હલચલ થઈ, એક તરંગ ઊઠીને શમી ગયું. હલચલ માટે જાગૃતિ આવે એ પહેલાં તો પ્રત્યાઘાત શમી જાય છે. અને આટલા સૂક્ષ્મ સમયગાળામાં જીવનનો તાગ લઈ લેવાનો છે ! એ જાત સાથેના સંવાદથી જ શક્ય બને. માટે ગીતની શરુઆત જ ‘સખીરી’ શબ્દથી કરવામાં આવી છે. આપણી ભજન પરંપરા, સુફી ગીતોમાં પણ આ રીતે જીવાત્માને ‘સખી’ સંબોધન કરવાની પરંપરા છે જ.

પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે–સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર–ને નીંભર ટેવ પડી ટળવળની
સખીરી, કેમ..

પરપોટાના પોતને પવનનાં પગલા કહીને આત્મા, દેહ અને બ્રહ્માંડ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા કવિની સફળ મથામણ જોઇ શકાય છે. પવન ઈચ્છાઓનું પ્રતિક બની જાય છે. જીવને સજીવ બનવાની તમન્ના થાય ત્યારે દેહ ધારણ કરે. પણ આ વાત સમષ્ટિનાં સંદર્ભે જોઇએ તો ક્ષણભરની ઘટના છે. આખી જિંદગી મારુંમારું અને માર કે મારુમાં વિતી જાય પછી ખ્યાલ આવે કે આપણા અસ્તિત્વથી આ સૃષ્ટિને કોઇ ફરક પડ્યો નથી. એ જ રીતે આપણાં ન રહેવાથી કોઇ ફરક પડવાનો ય નથી. પવનનાં સ્પર્શથી પરપોટો થાય, અને ફરી તૂટે, એની અસર તળ પર ક્યાં થવાની છે ! તળને તો કદાચ એની જાણ પણ નહીં થતી હોય કે સપાટી પર શું હલચલ થઈ રહી છે ! આ બધું જ આપણી નજર સમક્ષ છે, છતાં એ તરફ દુર્લક્ષ સેવવાની આપણને ટેવ પડી છે !

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને છળમય ભાષા તળની
સખીરી, કેમ ..

સૃષ્ટિમાં આપણું સ્થાન જાણી લીધા પછી જાગૃતિની ક્ષણો પર પ્રકાશ પાડતો આ અંતરો છે. ટોળામાં રહીને જાતમાં જીવીએ ત્યારે જીવનમાં એકલતા હોય. અહિ તો ગાડરિયા ટોળાને સ્વેચ્છાએ છોડી દીધું છે. હવે જાતનું જાત સાથે અનુસંધાન છે. અગમનાં ઇશારાઓની રાહ છે. એક જ ઝબકારે ભીતર ઝળહળાવી દેવાની વાત છે. ત્યારે પ્રતીક્ષા પણ કેવી જબરદસ્ત હોવાની! મનગમતાનાં ભણકારે વ્યાકૂળ થઈ જવાની વૃત્તિ વાળા આપણે પરમની પ્રતીક્ષામાં લીન થયા છીએ ત્યારે આ એકલતા એકાંત બની જાય છે. જાગૃતિની ક્ષણ આવે, કેવળજ્ઞાનની એ ઘડિ સૂસવાટો કરતી આવે. ઇન્દ્રિયાતિત થઈ ગયેલ મનનાં દ્વારે હવે એકાંત ખળખળતું આવે છે, ને લીલા ટકોરા મારે છે. ‘ખળખળતું’ શબ્દ અવિરત અને સમ્ ગતિ સૂચવે છે, જ્યારે લીલપની વાત હવે સિધ્ધિનું ફળ મળવામાં છે એનો ઈશારો કરી જાય છે. આજ સુધી જે તાગ મેળવવામાં સફળતા મળી નથી એ રહસ્યો હવે ખૂલવાનાં છે. આ તાગ મળતા જ ખબર પડી જશે કે નજર સામે જ હિલ્લોળા લેતો આ જળરાશિ જ્યાં સુધી તળિયું નહિ પામો ત્યાં સુધી ધારણાઓ કરીને ભવોભવ ચાલ્યા કરવાનો ચીલો જ છે. આ અંદરની એવી અનુભૂતિ છે, જેને શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી. શબ્દોને પોતાની મર્યાદા છે, જ્યારે આ અનુભૂતિ દરેક સીમાથી પર છે. જે સમજાય એવું નથી એને વર્ણવવું કઈ રીતે ? કુદરતે આ બાબત ઇન્દ્રિયાતિત રાખીને  જાણે છળની ભાષામાં રહસ્યો ખોલી આપ્યાં છે.

સંજુભાઈ, આત્મા, જીવન અને પરમાત્માનું અનુસંધાન કરાવી આપતી એક ઉત્તમ રચના અમારી સાથે વહેંચીને આભારી કર્યાં છે.

સૃષ્ટિમાં છે એ જ સમષ્ટિમાં છે. ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, તો પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. જે ગ્રહોની જેમ જ પોતાની ધરી પર પણ ફરે છે.. માનવીનાં મન જેવો જ વ્યવહાર આ પરમાણુઓ કરે છે અને સંયોજનોની વિશાળ શ્રેણી અપણને મળે છે… જેનાથી આ સૃષ્ટિનું હોવું સંભવ બન્યું છે. એક જ સિધ્ધાંતને સંપૂર્ણ જાણી લેવાથી કેટલાંય સત્યો અનાવૃત્ત થઈ જાય છે. પણ આ જ સત્યો જાણી ગયા પછી નિર્મોહી અવસ્થા આવી જાય છે. એ તબક્કે પોતે કેટલું પામી શક્યા છે એ કહેવાનો મોહ પણ રહેતો નથી. એટલે જ આ જળરાશિનાં તળ ફરી એક છળની પાછળ છૂપાઈ જાય છે- ફરી કોઇ મરજિવાની રાહમાં….


  • નેહા પુરોહિત


 

Tags: KavyaKavya PatriNeha Purohitpoem
Previous Post

પરફેક્ટ સ્માઈલ માટે પરફેક્ટ ફ્રૂટ

Next Post

ભારતની નજરે… આઝાદીની કથા…આઝાદીની વ્યથા…

Next Post

ભારતની નજરે... આઝાદીની કથા...આઝાદીની વ્યથા...

મણિકર્ણિકા બાદ કંગના નિર્દેશન કરવા તૈયાર છે

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri