નવરાત્રિના પાંચમા નોરતે વેશભૂષા કાર્યક્રમ, અમદાવાદ બોપલ સ્થિત ફ્લોરા આઈરીશ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આપણા વિવિધ તહેવારોમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ભકિત, શક્તિ અને આનંદનું સ્વરૂપ એટલે નવલા નોરતા. આજે પણ અનેક જગ્યાએ પ્રાચીન શેરી ગરબાનું મહત્વ જળવાઈ રહ્યું છે ત્યારે ફ્લોરા આઈરીશ ,સાઉથ બોપલ અમદાવાદમાં નવરાત્રિના પાંચમા નોરતે શેરી ગરબાની સાથે વેશભૂષાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

આ વેશભૂષાના કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને મોટા લોકો ભાગ લે છે. આ વેશભૂષામાં અલગ અલગ વયજૂય પ્રમાણે ઈનામ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં કોઈ એક્ટર, કોઈ ક્રિકેટર, તો કોઈ ભગવાન બનીને આવ્યું હતું.

WhatsApp Image 2025 09 27 at 1.46.11 PM

આ વેશભૂષા ના કાર્યક્રમમાં બાળકોમાં છોકરાઑ શ્રીનાથજી ભગવાન, શંકર ભગવાન તો કોઈ કૃષ્ણ બનીને આવ્યું હતું , અને બાળાઓમાં કોઈ ખોડિયારમાં, તો કોઈ રાણી લક્ષ્મીબાઈ, અને સીતા માતા બનીને આવી હતી.

 

 

 

 

WhatsApp Image 2025 09 26 at 3.44.01 PM

જ્યારે પુરૂષોમાં તેઓએ મૂંડું અને બ્લેક શર્ટ પહેર્યો હતો, અને સ્ત્રીઓએ સુંદર સાડી પહેરી હતી. આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ તમામ ખેલૈયાઑ મન મૂકીને ગરબા રમ્યા હતા.

 

Share This Article